Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

AMOS કંપનીના ડાયરેક્ટરોના આગોતરા જામીન બોટાદ કોર્ટે ફગાવ્યાં

સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરી લાયસન્સ રિન્યુ જ નથી કર્યું

aaspassdaily by aaspassdaily
2022-08-18 10:30:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બોટાદના બરવાળા કેમિકલ કાંડમાં અનેક જીંદગીઓનો ભોગ લેવાઇ ગયો ત્યારે આ મામલો કેમિકલ સપ્લાઇ કરનાર AMOS કંપનીના માલિકને સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા સમન્સ પણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેના પર બોટાદ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી જોકે આ મામલે ગ્રામ્ય કોર્ટે એમોસ કંપનીના ડાયરેક્ટરોની આગોતરા જામીનની અરજી ફગાવી છે.

Advertisement

મહત્વનું છે કે લુક આઉટ નોટિસ બાદ ડિરેક્ટર સમીર પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી જેમાં અરજીમાં પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાની દલીલ કરતા આગોતરા જામીનની અરજી કરી હતી જેણે કોણે નકારી દીધી છે. આ મામલે સરકારી વકીલે નિવેદન આપતા કહ્યું કે આરોપીઓને વારંવાર બોલાવાયા છતાં હાજર રહ્યાં નથી, માનવવધના ગુનાહિત કૃત્ય સહિતના ગુનામાં તપાસ ચાલુ છે. મૃતકો-અસરગ્રસ્તો માટે એમોસ કંપની-ડાયરેક્ટરો સીધા જવાબદાર છે. કંપની દ્વારા મિથેનોલ આલ્કોહોલનું વેચાણ કરાતું હોવાનું કોર્ટે નોંધ્યુ છે.
નશાબંધી અને આબકારી વિભાગે અમદાવાદ સ્થિત AMOS કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવાનું લાયસન્સ રદ કર્યું હતું, ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલું મિથેનોલ કેમિકલ AMOS કંપનીમાંથી ચોરી કરીને લાવવામાં આવ્યું હતું. ઉપરાંત AMOS કંપનીએ ફિનાર કંપનીમાંથી આ કેમિકલ લીધું હતું. લઠ્ઠાકાંડ થયા બાદ AMOS કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પણ કંપનીમાંથી કેમિકલ મળી આવ્યું હતું.
AMOS કંપનીના માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. જેઓના રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે. સમીર પટેલ કે જે બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે, અમદાવાદના પિપળજમાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે. આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે.

Tags: AMOSBotadJamin reject
Previous Post

હવે J&Kમાં રહેતા બિનકાશ્મીરીઓ પણ કરી શકશે મતદાન

Next Post

અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 20ના મોતની આશંકા

aaspassdaily

aaspassdaily

Related News

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર
તાજા સમાચાર

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર

December 9, 2023
મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી
તાજા સમાચાર

મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી

December 9, 2023
ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો
તાજા સમાચાર

ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો

December 9, 2023
Next Post
અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 20ના મોતની આશંકા

અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 20ના મોતની આશંકા

ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે!

ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.