ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25
હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત
પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે.
હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના
ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના
પર મહોર મારી છે, તે જોવું રસપ્રદ રહેશે.
આ સમગ્ર કામગીરી પોલીસ તથા અન્ય સુરક્ષા દળોની કડક હાજરી અને દેખરેખ હેઠળ પાર પાડવામાં
આવી હતી. ત્યારબાદ સીલ કરાયેલા ઈવીએમ મશીનોને નિર્ધારિત સ્ટ્રોંગ રૂમ તથા કલેકશન સેન્ટરો
ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મતદાન મથક
પરથી મશીનોને સુનિશ્ચિત માર્ગદર્શિકા મુજબ જ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચૂંટણી
દરમિયાન જિલ્લાભરમાં કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ
સામે આવ્યો નહોતો. મતદાનથી લઈને ઈવીએમ સીલિંગ અને પરિવહનની સમગ્ર પ્રક્રિયા સુચારુ અને
સફળ રીતે પૂર્ણ થઈ હતી.
ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકા,૮૪ નગરપાલિકાઓ,૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા
પંચાયતની ચૂંટણી યોજાઈ છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્તરોએ મત ગણતરી માટેની વિભાગવાર
વ્યવસ્થા કરી છે.રાજ્યના દરેક મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાની માતા ગણતરી તેમજ તાલુકા
સ્તરે નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયત માટે ગણતરી હાથ ધરવામાં આવશે. મંગળવારે
બપોરના સમય સુધીમાં પરિણામનો અંદાજ મળી જવાની ધારણા છે.


