Friday, May 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તો પક્ષના તમામ ધારાસભ્યો રાજીનામું આપશે : વિજય

તમિલનાડુમાં મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા બાદ સરકાર રચવા માટે સંમતિ ન મળતા વિજયની ખુલ્લી ધમકીના પગલે રાજકીય ગરમાવો

dharmendravaghela by dharmendravaghela
2026-05-08 11:59:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તમિલનાડુમાં હાલમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અભિનેતા વિજયની પાર્ટી ‘તમિલગા

વેટ્રી કઝગમ’ એ સીધી ચેતવણી આપી છે કે જો ડીએમકે અથવા અન્ના દ્રમુક ગઠબંધન કરશે, તો પાર્ટીના

તમામ ૧૦૮ ધારાસભ્યો સામૂહિક રાજીનામાં આપી દેશે. સૌથી વધુ બેઠકો જીતી હોવા છતાં સરકાર

બનાવવાની તક ન મળતા વિજયની પાર્ટીએ ડીએમકે અને એઆઈએ ડીએમકે પર મિલીભગતનો

આરોપ લગાવ્યો છે.

શુક્રવારે તમિલનાડુના રાજ્યપાલ આર.વી. અર્લેકરે વિજયની પાર્ટીને બહુમતી સાબિત કરવાની મંજૂરી

આપવાનો ઇનકાર કરી દીધો હતો. રાજ્યપાલે સ્પષ્ટતા કરી છે કે સરકાર બનાવવા માટે ટીવીકે એ ૧૧૮

ધારાસભ્યોના સમર્થન પત્રો રજૂ કરવા પડશે. હાલની સ્થિતિ મુજબ, ટીવીકે પાસે કોંગ્રેસના ૦૫

ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે પાર્ટી અન્ય વામપંથી અને નાના પક્ષો સાથે ગઠબંધન માટે સતત

વાટાઘાટો કરી રહી છે. પોતાની પાર્ટી સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરીને, વિજય હવે આ

મામલે કાયદાકીય લડત લડવા અને અદાલતના દ્વાર ખખડાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે.
રાજ્યમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ડીએમકેએ એક તાકીદની બેઠક યોજી હતી, જેમાં પક્ષના વડા એમ.કે.

સ્ટાલિનને કટોકટીના સમયે તમામ નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી છે. રાજકીય સૂત્રો

મુજબ, તમિલનાડુમાં એક નવી અને અણધારી વ્યવસ્થા પર વિચાર ચાલી રહ્યો છે. આ રણનીતિ હેઠળ

ડીએમકે બહારથી ટેકો આપે અને એઆઈએ ડીએમકેના નેતા ઈ. પલાનીસ્વામી મુખ્યમંત્રી બને તેવી

શક્યતા છે. જોકે, આ પ્રકારના અકુદરતી ગઠબંધન સામે જનતાનો ભારે રોષ જોવા મળી શકે છે, તેવી

ભીતિને કારણે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ મૂંઝવણમાં છે.
રાજ્યપાલના આ વલણ સામે વિપક્ષોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીપીઆઈ એ રાજ્યપાલને

બંધારણ મુજબ કામ કરવા અને સૌથી મોટી પાર્ટીને બહુમતી સાબિત કરવાની તક આપવા અપીલ કરી

છે. આ ઉપરાંત, વીસીકેના થોલ તિરુમાવલવન અને અભિનેતા કમલ હાસને પણ વિજયની પાર્ટીને

પોતાનું સમર્થન જાહેર કર્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી હવે તંત્ર માટે મહત્ત્વનું બની

ગયું છે.

Tags: Tamilnadutvk mla rasighvijay
Previous Post

ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકાનો બોમ્બમારો

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકાનો બોમ્બમારો

May 8, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ડિસ્ટ્રોયર જહાજો ઉપર ઈરાનનો ભીષણ હુમલો

May 8, 2026
CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી
તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસમાં યાદવાસ્થળી : ચૂંટણીમાં હાર બાદ રાજીનામાની વણઝાર

May 7, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.