25 જૂન 1975ના રોજ ઇન્દિરાજી દ્વારા દેશ પર કટોકટી લાદીને સંવિધાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના 51 વર્ષ પૂર્ણ થતા 25 જૂન 2026 ને ગુરુવારના રોજ નિરમા ગાર્ડન, શિવાજી સર્કલ ખાતે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં કટોકટીના કાળા દિવસોની યાદમાં પ્રદર્શની યોજવામાં આવી હતી.
આ પ્રદર્શનીમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, નિલેશભાઈ રાવલ, મુકેશભાઈ ડાભી સહિત શહેર સંગઠન તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન કિશનભાઇ મહેતા સહિત મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, વોર્ડ સંગઠન, વિવિધ સેલ, મોરચા, સમિતિઓના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નગરજનોએ આ ‘સંવિધાન હત્યા’ પ્રદર્શની રસપૂર્વક નિહાળી હતી.





