સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આજરોજ યોજવામાં આવેલ મેનેજીંગ કમિટીની મીટીંગમાં વર્ષ ૨૦૨૬-૨૮ માટે માનદ્ મંત્રીઓ તરીકે બૈજુભાઈ મેહતા (દાસ પેંડાવાળા ફૂડઝ પ્રા. લી.) અને જીગ્નેશભાઈ સવાણી (પાર ડ્રગ્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ) તથા માનદ્ ખજાનચી તરીકે નિલેશભાઈ નાણાવટી (ચંદન જવેલર્સ)ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

પ્રમુખ તેજસભાઈ શેઠ, ઉપ-પ્રમુખ અશોકભાઈ કોટડીયા અને મેનેજીંગ કમિટીના સર્વ સભ્યોએ નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ.






