ભાવનગરઃ
શહેરના દાણાપીઠ પાછળ, નાનભા શેરીમાં એક જર્જરિત દીવાલ ધરાશાયી થતાં રસ્તા પર ઈંટ-પથ્થરનો કાટમાળ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં ૧ થી ૨ લારીઓને નુકસાન થયું છે અને સ્થાનિકોની અવરજવર ખોરવાઈ ગઈ છે. આસપાસની અન્ય જર્જરિત દીવાલો અને પીપળાના વૃક્ષો પણ ગમે ત્યારે પડે તેમ હોવાથી મકાનો પર ખતરો મંડરાઈ રહ્યો છે. સ્થાનિક રહીશોએ કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.





