પીએનઆર સોસાયટી દ્વારા રિટાયર્ડ પીપલ્સ વેલ્ફેર સોસાયટીના સહયોગથી નિશુલ્ક કાનની તપાસનો કેમ્પ યોજાઈ ગયો. નિવૃત્ત અધિકારી બી.જે. પરમાર અને સાથી હોદેદારોના સહયોગથી આ કેમ્પનો ભાવનગર શહેરના જ નહીં પરંતુ જિલ્લાના કર્મચારીઓએ પ્ણ લાભ લીધો હતો.
ડૉ. અંબર ગૃપ્તા (ઓડિયોલોજીસ્ટ) દ્વારા પ્રત્યેકની કાનની તપાસ, ઓડિયોગ્રામ તથા બહેરાશની ટકાવારીનું નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરિયાતમંદને પીએનઆર સંસ્થા દ્વારા શ્રવણયંત્રનો લાભ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાબાભાઈ શાહે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સમયાંતરે આવી પ્રવૃત્તિ યોજાતી રહે છે જેનો લાભ લેવો અને જો કોઈ સંસ્થા આવા સત્કાર્યમાં જોડવા ઈચ્છતી હોય તો તેમનું પણ સ્વાગત છે.





