માર્કેટયાર્ડ ચિત્રા-ભાવનગર તા.૫ને બુધવારના રોજ વિજયા દશમી (દશેરા)નો ધાર્મિક તહેવાર હોવાથી ભાવનગર માર્કેટ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ અને ડુંગળી તથા લીંબુની (શાકભાજી સિવાય) તમામ જાહેર હરરાજીનું કામકાજ બંધ રહેશે જેની લાગતા વળગતા તમામ ખેડૂતભાઇઓ, વેપારી ભાઇઓએ તેમજ વાહન માલિકોએ નોંધ લેવા માર્કેટ યાર્ડ તથા વેપારી એસોસીએશનની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.