ભાવનગરના ઘોઘારોડ, શિવાજી સર્કલ પાસે આવેલ ૧૪ નાળા પુલ નીચે ગળાફાંસો ખાધેલી હાલતે લટકતો એક માનવદેહ મળી આવતા ચકચાર મચી છે. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ આત્મહત્યાનો જણાય છે. જાે કે, મૃતક કોણ ? પુલ નીચે લટકવાનું કારણ શું ? તે સહિતના પ્રશ્નનો સવાલ હજુ અનુત્તર છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ઘોઘારોડ, શિવાજી સર્કલ પાસે આવેલ ૧૪ નાળાના પુલ નીચે અજાણ્યા શખ્સનો ગત રાત્રીના સમયે ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ આત્મહત્યાનો છે કે બીજાે કાંઇ તે અંગે પોલીસની તપાસ બાદ જ વિગતો ખુલી શકશે. વધુમાં મૃતકની ઓળખ મળી નથી પરંતુ મૃતકના ખિસ્સામાંથી દવાનો કેસ કાગળ નીકળતા તેમાં રમેશ કેશુભાઈ પરમાર લખેલું જાેવા મળ્યું છે. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતાં. પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે ત્યારે જાેવું રહ્યું કે, બનાવ આત્મહત્યાનો છે કે બીજાે કાંઇ ?!