આગામી તા.૨૩ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી મોરારીબાપુના સાનિધ્યમાં કાગના ફળીએ કાગની વાતો વિષય અંતર્ગત વક્તા લાખણશીભાઈ ગઢવી અને યશવંત લાંબા વક્તવ્ય આપશે.જેનું સંચાલન ડો. બળવંતભાઈ જાની કરશે.
કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ ખાતે કાગબાપુની ૪૬મી પુણ્યતિથિ નિમિત્તે કાગચોથના રોજ પૂ.મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો ૨૦૦૨ની સાલથી યોજવામાં આવે છે. જેમાં કાગને ફળીએ કાગની વાતુ, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કાગવાણી પ્રસ્તુત થાય છે.
આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૩ના કાગ એવોર્ડમા મરણોત્તર સ્વ .નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા), સ્ટેજ હરેશદાન સુરુ, સર્જક ઈશુદાન ગઢવી હિંમતનગર, સંશોધક નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) અને રાજસ્થાનના વિદ્વાન ગજાદાન ચારણ (નાથુસર)ને કાગ એવોર્ડ રાત્રિના ૯ કલાકે અર્પણ કરવામાં આવશે. બાદમાં મોરારીબાપુનું પ્રસંગિક ઉદબોધન થશે.
આ તકે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ તથા કાગ પરિવાર દ્વારા સર્વ કાગપ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.