Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરામાં હવે બુલડોઝર ચાલશે: આખી રાત પોલીસ દરોડા, 22 ઝબ્બે

શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈને નહિં છોડવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આદેશ: ફતેપુરામાં ચુસ્ત બંદોબસ્ત

cradmin by cradmin
2023-03-31 12:48:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાને પગલે રમખાણોની ઘટના બાદ તુર્ત પોલીસ એકશનમાં આવી ગઈ હોય તેમ આખી રાત દરોડાનો દોર ચલાવીને 22 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી હવે આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
વડોદરામાં ગઈકાલે રામનવમીનાં તહેવાર નિમિતે ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ દરમ્યાન ફતેહપુરામાં પણ જુદા જુદા બે સ્થળે પથ્થરમારો કરીને શાંતિ હડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતા બે જુથો સામસામા આવી ગયા હતા. અને જોરદાર અથડામણ થઈ હતી પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. અને એસઆરપી સહીતનો વધારાનો પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો.
પોલીસના સુત્રોએ કહ્યું કે પરિસ્થિતિ કાબુમાં આવી ગયા બાદ તોફાની તત્વો સામે એકશન શરૂ કરવામાં આવ્યા હતા. સીસીટીવીનાં આધારે તોફાની તત્વોની ઓળખ કરીને સમગ્ર વિસ્તારમાં આખીરાત તપાસ દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. અને વીણીવીણીને શોધવામાં આવ્યા હતા. રાત દરમ્યાન 22 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આજે પણ ફતેપુરામાં કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. એસઆરપીની કુમકો પણ ઉતારવામાં આવી છે.
વડોદરામાં તોફાનોનાં ઘટનાક્રમને પગલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ એકશનમાં આવી ગયા હતા. તાત્કાલીક ઉચ્ચ અધિકારીઓ, સાથે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વહેલીતકે હાલત કાબુમાં લેવા તથા શોભાયાત્રામાં પથ્થરમારો કરવા ઉપરાંત તંગદીલી સર્જનારા કોઈને પણ નહી છોડવા તથા કડક કાર્યવાહી કરવાના આદેશો કર્યા હતા તેને પગલે પોલીસ કાફલો તૂટી પડયો હતો. સીસીટીવીનાં આધારે આરોપીઓની ઓખળ મેળવીને ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. માહિતગાર સુત્રોએ એમ કહ્યું હતું કે, તોફાન સર્જનારા તત્વોને શબક શીખડાવવા કડક કાર્યવાહીના ભાગરૂપે તેઓના ઘર પર બુલડોઝર ચલાવવાના ચક્રો ગતિમાન કર્યા છે.સમગ્ર વિસ્તારમાં હજુ અજંપો પ્રવર્તી રહ્યો છે.

Previous Post

IASના દાદા-દાદીએ આત્મહત્યા કરી

Next Post

પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા

cradmin

cradmin

Related News

બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા
તાજા સમાચાર

બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા

July 8, 2025
સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો,
તાજા સમાચાર

સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો,

July 8, 2025
હિમાચલમાં પંડોહ ડેમમાં ફિલ્મી સ્ટાઈલમાં લાકડાની તસ્કરી કરાતી હોવોનો આક્ષેપ!
તાજા સમાચાર

હિમાચલમાં પંડોહ ડેમમાં ફિલ્મી સ્ટાઈલમાં લાકડાની તસ્કરી કરાતી હોવોનો આક્ષેપ!

July 8, 2025
Next Post
પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા

પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા

છત્તીસગઢના   શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું

છત્તીસગઢના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.