Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતના સુશાસન ઈન્ડેકસમાં 14 જીલ્લા નબળા જાહેર

ગુજરાત સરકારે પ્રથમ વખત જીલ્લાવાર સુશાસન ઈન્ડેકસ કર્યો તૈયાર : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સૌથી વધુ મકાન નિર્માણમાં સૌરાષ્ટ્રનો એકપણ જીલ્લો નહિં

aaspassdaily by aaspassdaily
2023-05-31 13:24:17
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારે ગત સપ્તાહે યોજેલી ચિંતન શિબીરમાં તમામ 33 જીલ્લાનો રીપોર્ટ કાર્ડ પેશ કરવામાં આવ્યો હતો. તેમાં રાજકોટ જીલ્લાનો બીજો ક્રમ આવ્યો છે. મહત્વની વાત એ છે કે જામનગર સહીત 14 જીલ્લા સુશાસન ઈન્ડેકસમાં ઘણા નબળા જાહેર થયા હતા. ચિંતન શીબીરમાં પ્રથમ વખત ગુજરાતનાં જીલ્લાઓનો સુશાસન ઈન્ડેક્ષ રજુ કરવામાં આવ્યો હતો. 14 જીલ્લા એવા હતા કે 10 માથી એકપણ ક્ષેત્રમાં ટોપ-થ્રી સ્થાન મેળવી શકયા ન હતા. કૃષિ, વ્યાપાર, અને ઉદ્યોગ માનવ કૌશલ્ય વિકાસ, જાહેર આરોગ્ય જાહેર માળખાગત સેવા સામાજીક કલ્યાણ અને વિકાસ ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષા, પર્યાવરણ તથા નાગરીક કેન્દ્રીત શાસન જેવા 10 ક્ષેત્રોનાં 65 પાસાઓ આધારીત જીલ્લાઓને ક્રમાંક આપવામાં આવ્યા હતા. આ 10 માંથી એક પણ ક્ષેત્રમાં પ્રથમ ત્રણમાં સ્થાન મેળવી ન શકેલા જીલ્લાઓની સંખ્યા 14 હતી.
એકપણ ક્ષેત્રમાં ટોપ-થ્રીમાં સ્થાન મેળવી ન શકેલા જીલ્લાઓમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, જામનગર, કચ્છ, ડાંગ, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તથા તાપી જીલ્લાઓનો સમાવેશ થાય છે. સમગ્ર સુશાસન ઈન્ડેકસમાં નવસારી જીલ્લો રાજયભરમાં પ્રથમ ક્રમાંકે જાહેર થયો હતો.રાજકોટ જીલ્લાને બીજો તથા અમદાવાદ જીલ્લાને ત્રીજો નંબર મળ્યો હતો. સમગ્ર રીપોર્ટમાં કેટલાંક રસપ્રદ તારણો પણ બહાર આવ્યા હતા. જે અંતર્ગત રાજયના તમામ 33 જીલ્લામાં દુધ ઉત્પાદનમાં વધારો થયો છે. એટલુ જ નહિં 22 જીલ્લામાં અનાજ તથા બાગાયતી ઉત્પાદનમાં પણ વૃધ્ધિ છે. આ સિવાય 29 જીલ્લામાં ઔદ્યોગીક વિકાસ ગતિવિધીમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ હોવાનું દર્શાવાયું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ મધ્યમવર્ગ માટે મકાનોનાં નિર્માણમાં ગાંધીનગર, સુરત, તથા ભરૂચ મેદાન મારી ગયા હોય તેમ સૌથી વધુ આવાસ નિર્ણય આ જીલ્લાઓમાં થયુ હતું.આરોગ્ય ક્ષેત્રનાં રીપોર્ટમાં એમ જણાયું હતું કે 27 જીલ્લાઓમાં 80 ટકા આરોગ્ય કેન્દ્રો કાર્યરત રહ્યા હતા. પાણી પુરવઠા ક્ષેત્રે 29 જીલ્લાઓમાં 75 ટકા પાણીના સેમ્પલ ગુણવતાનાં માપદંડ મુજબ રહ્યા હતા.અર્થાત શુદ્ધ પાણી મળતુ હતું. કાયદો-વ્યવસ્થા ક્ષેત્રના રીપોર્ટમાં એમ જણાવાયું હતું કે ઈન્ડીયન પીનલ કોડ હેઠળનાં કેસોમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં બનાસકાંઠા, સાબરકાંઠા તથા જામનગર જીલ્લામાં સૌથી ઓછા દિવસો થયા હતા. અર્થાત વહેલી તકે ચાર્જશીટ ફાઈલ થયા હતા. રાજય સરકારનાં સ્વાગત પોર્ટલમાં પેશ થતી ફરીયાદોનો 100 ટકા નિકાલ 9 જીલ્લામાં થયો હોવાનું જાહેર થયુ હતું. સ્ટાર્ટઅપ જોકે અમદાવાદ, વડોદરા તથા સુરતમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ સંખ્યા હોવાનું જાહેર થયુ હતુ.

Previous Post

સ્કોર્પિયોએ સ્કૂટીને ટક્કર મારી : બે બાળકો સહિત 4 ના મોત

Next Post

મહુવાના નેસવડ ગામમાં યુવકની બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ
પ્રાદેશિક

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

June 18, 2026
ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

June 17, 2026
Next Post
મહુવાના નેસવડ ગામમાં યુવકની બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા

મહુવાના નેસવડ ગામમાં યુવકની બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા

૩૦ હજાર ધ્વજાથી ભાવનગર શહેરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ ઉભો કરાશે

૩૦ હજાર ધ્વજાથી ભાવનગર શહેરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ ઉભો કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.