ભાવનગર તા.૩૧
મહુવા તાલુકાના નેસવડ ગામમાં રહેતા યુવાનની માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા મહુવા પોલીસે યુવકના મૃતદેહને મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના નેસવડ ગામમાં રહેતા રાજુભાઇ સુખાભાઈ જોળીયા ( ઉ.વ.૩૧ ) ગત રાત્રીના સમયે સુતા હતા તે દરમિયાન તેમના માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીંકી કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હતી.

વહેલી સવારે આ બનાવની જાણ થતાં ગામના આગેવાનો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા મહુવા પોલીસ કાફલો નેસવડ દોડી ગયો હતો અને પંચનામું કરી રાજુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.
રાજુભાઈની હત્યા કોણે કરી,શા માટે કરી તે સહિતની બાબત અંગે મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






