ભારતના હવામાન વિભાગના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.
16 તારીખ સવારે 4 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ ?
કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ
કચ્છના ભુજમાં 5.3 ઇંચ
કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ
દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ
કચ્છના અંજારમાં 3.5 ઇંચ
જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ
બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ
કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ



