Wednesday, May 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

વીજળી બિલને લઈને કેન્દ્ર સરકાર તરફથી સ્માર્ટ પગલું

દિવસમાં અલગ અલગ સમયમાં અલગ અલગ વીજળી દર લાગુ પડશે

aaspassdaily by aaspassdaily
2023-06-24 10:13:55
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જો તમે પણ દર મહિના વધુ વીજળી બિલને લઈને કેન્દ્ર સરકાર તરફથી એવું પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે જેના બાદ વીજળી બિલ ઘણું ઓછું થઈ જશે. . સરકાર વીજળીના દર નક્કી કરવા માટે ‘Time Of the Day’ નો નિયમ લાગુ થશે.
ઘરમાં ઘરઘંટીથી લઈને એસી અને ફ્રીજનો ઉપયોગ વધી રહ્યો છે. જો તમામ મશીન મોટાભાગે દિવસના સમયે ચલાવે તો ઈલેક્ટ્રિસિટી પર મોટી બચત થઈ શકે છે. કેન્દ્રીય ઊર્જા મંત્રી આર. કે. સિંહનું કહેવું છે કે ટીઓડી વ્યવસ્થાથી દરેક સ્થિતિમાં ગ્રાહકોને જ ફાયદો થશે. આ નવા ટીઓડી નિયમ લાગુ થયા બાદ દિવસમાં અલગ અલગ સમયમાં અલગ અલગ વીજળી દર લાગુ પડશે. જેનાથી દિવસના સમયે વધુ દર હોય તેવા પીક અવર્સમાં વધુ વીજળી વાપરવાથી લોકો દૂર રહેશે. જેમ કે વોશિંગ મશીન ચલાવવું, ઘરઘંટી ચલાવવી અને ઈલેક્ટ્રિક સ્ટવ પર ખાવાનું પકાવવું.
આ નિયમ એપ્રિલ 2024થી 10 કિલોવોટ અને તેનાથી વધુ માગ ધરાવતા વાણિજ્યિક અને ઔદ્યોગિક વપરાશકર્તાઓ માટે લાગુ થશે અને તેના એક વર્ષ બાદ એક એપ્રિલ 2025ના કૃષિ ક્ષેત્રને છોડીને મોટાભાગના વપરાશકર્તાઓ માટે લાગુ થશે. કેન્દ્રીય ઊર્જા મંત્રી આર. કે. સિંહે એક નિવેદનમાં કહ્યું કે, સૌર ઊર્જા સસ્તી છે અને તેના માટે દિવસના સમયે વીજળીના ઉપયોગ માટેનો ટેરિફ પણ સસ્તો રહેશે. જેનાથી વપરાશકર્તાઓને તેનો લાભ મળશે.’
જો કે સ્માર્ટ મીટર ધરાવતા વપરાશકર્તાઓને ટીઓડીની વ્યવસ્થા ત્યારે જ લાગુ થશે જ્યારે તે મુજબનું મીટર લગાવશે. ઊર્જા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, ભારત સરકાર વીજળી (વપરાશકર્તા અધિકાર) નિયમ 2020માં સંશોધન કરીને હાલની વીજળી દર પ્રણાલીમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફાર દિવસના સમયની દર પ્રણાલી અને સ્માર્ટ મીટર સાથે જોડાયેલા નિયમોને વધુ સંગત બનાવવા માટેના હશે.

Previous Post

INDUS-X: ભારત-અમેરિકાની નવી સંરક્ષણ પહેલ ઇન્ડસ-એક્સ લોન્ચ, કો-ડેવલપમેન્ટ ટેક્નોલોજી વધારવામાં મહત્વપૂર્ણ સ્ટેપ

Next Post

લવજેહાદ: ઈરફાન દિવાને હિતેશ ઠાકોર નામ ધારણ કરીને હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં સરકાર રચવા વિજયે અન્ય પક્ષનો સાથ લેવો પડશે

May 5, 2026
વીજળી પડતા યુપીમાં 13, મહારાષ્ટ્રમાં નવનાં મોત
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદથી ૨૩ લોકોના મોત

May 5, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
Next Post
લવજેહાદ: ઈરફાન દિવાને હિતેશ ઠાકોર નામ ધારણ કરીને હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

લવજેહાદ: ઈરફાન દિવાને હિતેશ ઠાકોર નામ ધારણ કરીને હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

બિડેને વડાપ્રધાન મોદીને ખાસ ટી-શર્ટ આપ્યું ભેટ

બિડેને વડાપ્રધાન મોદીને ખાસ ટી-શર્ટ આપ્યું ભેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.