પાકિસ્તાની મીડિયાદ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જો કે ઈરાન કે પાકિસ્તાન તરફથી આ હુમલા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
પાકિસ્તાની મીડિયા મળતા અહેવાલ અનુસાર, આ હુમલા ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનો દાવો કરે છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ જેવા બલૂચ અલગતાવાદી જૂથો ઈરાનની અંદર સક્રિય છે, જેઓ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ અને કાવતરાં ઘડવામાં સામેલ છે. આ ઉપરાંત દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરે છે. બીજી તરફ ઈરાને આવા દાવાઓને નકારી દીધા છે.