Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભવાનીપરા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૨નો પ્રારંભ કરાવતાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે

પ્રાથમિક શાળાનું શિક્ષણ વિદ્યાર્થીઓના સમગ્ર કારકિર્દીનો પાયો ઘડે છે - કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે

narendrachdasama by narendrachdasama
2022-06-23 13:38:41
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યભરમાં ત્રિદિવસીય ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ-૨૦૨૨ કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં મોરચંદ કુમાર શાળા અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે ધો. ૧ ના વિદ્યાર્થીઓનું શાળામાં નામાંકન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. યોગેશ નિરગુડેએ શૈક્ષણિક કીટ આપીને બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત આંગણવાડીનાં બાળકોને પોષક કીટ આપવામાં આવી હતી. મોરચંદ કુમાર શાળાનાં શાળાનાં ૭ બાળકો અને ભવાની પરા શાળાના ૪ બાળકોનો કુમકુમ તિલક કરીને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.કલેક્ટર યોગેશ નિરગુડેએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, શિક્ષણથી વ્યક્તિ પોતે પોતાનું, ગામનું અને શહેરનું નામ રોશન કરી શકે છે. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં મળતાં શિક્ષણથી વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય છે. જે તેમનું ભવિષ્ય નક્કી કરે છે. કલેક્ટરે  પોતાનું દ્રષ્ટાંત આપીને જણાવ્યું હતું કે, તેઓ પણ સરકારી શાળામાંથી જ શિક્ષણ મેળવી યુ. પી. એસ. સી. પાસ થઇને સિવીલ સેવામાં જોડાયાં છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બાળકો ગામડામાં રહીને પણ ઊંચા સ્તરનું શિક્ષણ મેળવી શકે એ માટે રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. શિક્ષણનો ઉપયોગથી માત્ર સરકારી નોકરી મળે એવું નથી, પણ ભણવામાં આવતાં વિજ્ઞાન વિષયની સમજથી ખેતી ક્ષેત્રે પણ કંઈક નવું કરી શકાય છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઘોઘા મામલતદારશ્રી એ. આર. ગઢવી, ઘોઘા ટી. ડી. ઓ.શ્રી એ. આર. પટેલ, મોરચંદ ગામનાં સરપંચશ્રી લગ્ધીરસિંહ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી વ્યાસ, મોરચંદ શાળાનાં આચાર્યશ્રી સાનુભા ગોહિલ, ભવાનીપરા સરપંચશ્રી જસવંતસિંહ ગોહિલ, ભવાનીપરા શાળાનાં આચાર્યશ્રી પ્રતાપસિંહ સરવૈયા તેમજ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags: bhavnagarcalector
Previous Post

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ભાજપે શિંદેને મહારાષ્ટ્રમાં 8 કેબિનેટ રેન્ક અને 5 રાજ્યમંત્રી રેન્કની ઓફર કરી

Next Post

88 આસામીઓ પાસેથી 9.5 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું

narendrachdasama

narendrachdasama

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

88 આસામીઓ પાસેથી 9.5 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું

ભાવનગર શહેરમાં વધુ 13 કોરોના કેસ

ભાવનગર શહેરમાં વધુ 13 કોરોના કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.