ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. ગઈ કાલે રણવીર અલ્લાહબદિયાએ તપાસ અધિકારીની સામે પોતાના નિવેદનમાં પોતાની ભૂલ કબૂલ કરી છે. રણવીરે કહ્યું કે, ‘મારાથી ભૂલ થઈ છે.’ સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીરે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, ’હું સમય રૈનાનો મિત્ર છું. તેથી જ હું તે શોમાં ગયો હતો. જે લાઇન પર વિવાદ થયો હતો તે બોલવું મારી ભૂલ હતી. મારે આવું ના બોલવું જોઈતું હતું.’
રણવીરે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે મેં ભૂલ કરી છે. રણવીરે એવો પણ દાવો કર્યો હતો કે મેં શોમાં જવા માટે પૈસા લીધા નથી. અમે યુટ્યુબર છીએ અને તેથી જ મિત્રતાના કારણે અમે એકબીજાના શોમાં આવતા રહીએ છીએ.’ યુટ્યુબર સમય રૈના યુટ્યુબ પર ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામનો શો ચલાવે છે. જે ડાર્ક કોમેડી શો છે. ફેમસ યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ થોડા દિવસો પહેલા તેમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેણે શોમાં માતા-પિતાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. આ અંગે રણવીર અને સમય વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ ચાલુ છે.