Wednesday, June 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે લાંબો કાર્યકાળ સિદ્ધ કરવાની સાથોસાથ નેતૃત્વશકિતનો પણ વિશ્વને પરિચય આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 11:50:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જવાહર લાલ નેહરૂનો રેકોર્ડ બ્રેક કરી નાંખ્યો છે. આ રેકોર્ડ સુધી પહોંચવું આગામી વર્ષોમાં કોઈ નેતા માટે સ્વપ્ન સમાન બની રહેશે. આઝાદી પછી સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન તરીકે રહેનારા પંડિત જવાહરલાલ નેહરૂનો રેકોર્ડ નરેન્દ્ર મોદીએ તોડી નાંખ્યો છે. આ પ્રસંગે એમને દેશના તમામ રાજ્યોમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. તા.26 મે 2014ના દિવસે નરેન્દ્ર મોદીએ પહેલીવાર વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. સતત પોતાના કાર્યકાળમાં 4399 દિવસ તેમણે હવે પૂરા કરી લીધા છે.
વડા પ્રધાન મોદીએ પોતાના આ કાર્યકાળમાં અનેક એવી મહત્ત્વની વિદેશયાત્રા કરી છે તેમજ કોરોના વાયરસ જેવી કપરી સ્થિતિમાં પણ એક સ્થિર નેતૃત્વ કર્યું છે. બીજી તરફ ઈરાન-અમેરિકા જેવા બે મહાકાય રાષ્ટ્ર વચ્ચેના યુદ્ધથી મિડલ ઈસ્ટમાં તણાવભરી સ્થિતિ વચ્ચે દેશ સામે વિકટ સ્થિતિ ઊભી થઈ એવા સમયમાં પણ એક શ્રેષ્ઠ સંચાલન કર્યું છે. સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન તરીકે રહેનારા વ્યક્તિ તરીકે હવે નરેન્દ્ર મોદીનું નામ લખાઈ ગયું છે. જવાહર લાલ નેહરૂએ આઝાદી પછી વિખરાયેલા ભારતને જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સંસ્થાગત રૂપ આપવામાં તથા રાષ્ટ્ર નિર્માણનો પાયો નાંખવામાં એમનું યોગદાન આજે પણ અમૂલ્ય રહ્યું છે. રાષ્ટ્રવિકાસની રૂપરેખાને આગળ વધારવામાં તથા પરિણામલક્ષી કામ કરવામાં નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વમાં ભારતના નામે અનેક એવી નાની-મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. 21મી સદીમાં ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરવામાં વડા પ્રધાન મોદીએ અસરકારક કામ કર્યું છે. આઝાદ ભારતમાં સંવિધાન લાગુ થયા બાદ 13 મે 1952ના રોજ વડા પ્રધાન તરીકે જવાહર લાલ નેહરૂએ પહેલીવાર શપથ લીધા હતા.આ પછી તેમણે સતત 4397 દિવસ સુધી કામ કર્યું હતું. 12 વર્ષ અને 43 દિવસનો એમનો કાર્યકાળ રહ્યો હતો, જ્યારે વડા પ્રધાન મોદીએ 9 જુનના દિવસે સૌથી લાંબા કાર્યકાળ તરીકે નેહરૂનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. વડા પ્રધાન તરીકે તેમણે 4398 દિવસ એટલે કે 12 વર્ષ અને 15 દિવસ પૂરા કર્યા છે.
9 જુન 2024ના દિવસે તેમણે એનડીએના ત્રીજા કાર્યકાળમાં વડા પ્રધાન તરીકે શપથ લીધી હતી.નેહરૂ 15 ઓગસ્ટ 1947 પીએમ ત્યાં બન્યા, પરંતુ 1952 માં લોકસભા ચૂંટણી પહેલા સુધી પાંચ વર્ષ અંતરિમ સરકાર મુખ્ય હતી.1947 થી 27 મે 1964 સુધી સાંજ સુધી આ સરકારમાં તેઓ વડાપ્રધાન તરીકે રહ્યા હતા. આવા જ પંડિત જવાહર લાલના પૂર્ણ કાર્યકાળનો સમય 6130 દિવસ હતો, પરંતુ તેઓ લગભગ 5 વર્ષ અને અંતરિમ સરકારના મુખ્ય મુખ્ય ભાગરૂપે રહ્યા હતા. વર્ષ 1947માં જ્યારે દેશને આઝાદી મળી એ સમયે દેશમાં ખાસ કોઈ ઉત્પાદન કાર્ય થતું ન હતું, મોદીએ એક વિચારધારા સાથે આધુનિક ઉદ્યોગ સાથે પરંપરાગત ઉદ્યોગોને વેગ આપવાનું કામ કર્યું. અનેક એવી યોજના દ્વારા દેશવાસીઓને પોતાના ક્ષેત્રમાં એક સિદ્ધિ હાંસલ કરવા માટેની તક આપી. ખાસ કરીને મોદી વિઝન આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047, પ્રાકૃતિક ખેતી, શ્રમ કલ્યાણ યોજના, ફોરેન પોલિસી જેવી યોજનાથી અનેક એવા પરિવર્તન આવ્યા. નેહરૂ સરકારમાં જ્યારે માત્ર 2 એઈમ્સ હતી ત્યાં આજે મોદીની સરકારમાં અનેક એઈમ્સમાં દર્દીઓની પરિણામલક્ષી સારવાર થઈ રહી છે. હવે આગળના સમયમાં ગઠબંધન સરકાર, વિપક્ષના આક્ષેપો, આંતરિક અસંષોત, ડોમેસ્કિ લેવલ પર રોજગારી, વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તથા ભારતમાં ઉત્પાદનથી લઈને રેવન્યૂ સુધીના ક્ષેત્રમાં સિદ્ધિ અપાવવાની પડકારજનક રહેશે. ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશમાં પરિવર્તિત થવાનું લક્ષ્ય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સ, એક્સપ્રેસવેનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક, આધુનિક રેલ્વે સ્ટેશનો અને વિશ્વના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમની સ્થાપના જેવી પહેલો આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહી છે.
પીએમ મોદી ભારતના દરેક ખૂણાને વિશ્વસ્તરીય માળખાગત સુવિધા સાથે જોડવાની કલ્પના કરે છે.આ પગલાં દ્વારા દેશને વૈશ્વિક મહાસત્તામાં પરિવર્તિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતની વસ્તીની યુવા ઊર્જાને કુશળ કાર્યબળ અને વૈશ્વિક નેતાઓના સમૂહમાં પરિવર્તિત કરવી એ મોદીના વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે ભારતે નહેરુ યુગ દરમિયાન ‘અસંબંધ’ ની નીતિ અપનાવી હતી, ત્યારે મોદી હેઠળ તેની વિદેશ નીતિ ‘સક્રિય જોડાણ’ અને ‘વિશ્વબંધુ’ (વિશ્વનો મિત્ર) ની ભાવના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. પીએમ મોદી ભારતને વૈશ્વિક શાસનમાં મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત કરવાની કલ્પના કરે છે. વર્તમાન યુગમાં, ભારત હવે વૈશ્વિક પ્લેટફોર્મ પર નિષ્ક્રિય દર્શક નથી; તેના બદલે, તે એજન્ડા નક્કી કરે છે – પછી ભલે તેમાં રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ માટે હાકલ કરવાનો હોય, ગ્લોબલ સાઉથના અવાજને સમર્થન આપવાનો હોય, અથવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ માટે તેની બોલીને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે અનેક એવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં ભારતે નેતૃત્વ કર્યું છે. આગામી સમયમાં કોમનવેલ્થ અને વિશ્વકપ જેવી મોટી ઈવેન્ટને નેતૃત્વ કરવા માટે પણ ભારત આજે અનેક એવા મોરચા પર સક્ષમ છે અને સફળ છે.

Tags: modi breaks nehru's record
Previous Post

પાકિસ્તાનનું નાપાક કૃત્ય : અફઘાનિસ્તાનમાં રહેણાંકી વિસ્તારમાં હવાઈ હુમલો

Next Post

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
પાકિસ્તાનનું નાપાક કૃત્ય : અફઘાનિસ્તાનમાં રહેણાંકી વિસ્તારમાં હવાઈ હુમલો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનનું નાપાક કૃત્ય : અફઘાનિસ્તાનમાં રહેણાંકી વિસ્તારમાં હવાઈ હુમલો

June 10, 2026
Next Post
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.