જમ્મુ કાશ્મીરમાં હાલ ઉત્સાહ પૂર્વક અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓએ
બાબા બર્ફાનીના દર્શન કર્યા છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મોટી વાત કરી
છે. તેમણે બુધવારે ફરી એકવાર પહલગામ આતંકવાદી હુમલાની ભયાનકતાને યાદ કરી અને કહ્યું કે
આવી ઘટનાઓને રોકવા માટે 24 કલાક સતર્ક રહેવાની જરૂર છે.
જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “પહલગામ ઘટનાને યાદ કરીને કહ્યું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન
અટકાવવા માટે આપણે 24 કલાક સતર્ક રહેવું પડશે.જયારે પહલગામ હુમલાના ગુનેગારોની ધરપકડમાં
વિલંબ વિશે પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ કહ્યું કે તપાસમાં સમય લાગે છે અને આવી કાર્યવાહી માટે
કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી.
આ ઉપરાંત સીએમ ઓમર અબ્દુલ્લાએ પ્રવાસન ક્ષેત્રને વેગ મળવા અંગે આશાવાદી વલણ અપનાવ્યું.
તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન ફરી સુધરી રહ્યું છે. પહલગામ હુમલા પહેલા કરતા હોટલના
દર ઓછા હોય પરંતુ લોકો ચોક્કસપણે આવવા લાગ્યા છે. જેમાં અમરનાથ યાત્રાળુઓનો પણ સમાવેશ
થાય છે. શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે મહદઅંશે પહલગામ રૂટને પસંદ કરી રહ્યા છે.