Tuesday, January 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં યાસીન મલિક સહિત આંઠ આતંકીઓના ઠેકાણા પર દરોડા

જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીની સંયુક્ત કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2025-08-12 12:05:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીએ 27 વર્ષીય કાશ્મીરી નર્સની નિર્દયી હત્યા કરવાના કેસમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. સાડા ત્રણ દાયકા જૂના કેસમાં સુરક્ષા એજન્સીએ આજે શ્રીનગરમાં આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. 1990માં કાશ્મીરી હિન્દુ મહિલા સરલા ભટ્ટની નિર્મમ હત્યા સંબંધિત આ દરોડા હાથ ધરાયા હતાં. ભટ્ટ પર સામૂહિક દુષ્કર્મ ગુજારી નિર્મમ હત્યાના કેસમાં 35 વર્ષ બાદ પણ હજુ તપાસ ચાલી રહી છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રહેતી સરલા ભટ્ટ શેરે કાશ્મીર આયુર્વિજ્ઞાન સંસ્થાન સૌરા શ્રીનગરમાં નર્સ હતી. એપ્રિલ, 1990માં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના આંતકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં અનેક દિવસો સુધી તેના પર સામૂહિક દુષ્કર્મ કરી અંતે તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ મૃતદેહ ડાઉનટાઉન શ્રીનગરના રસ્તા પર ફેંકી દીધો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સીએ આજે JKLFના આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં યાસિન મલિકનું ઘર પણ સામેલ છે. યાસિન મલિક પર પણ આતંકી પ્રવૃત્તિઓ કરવા તેમજ ફંડિંગનો કેસ ચાલી રહ્યો છે. જે તિહાર જેલમાં બંધ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ભટ્ટે પંડિતોને સરકારી નોકરી છોડી દેવા અને ખીણ છોડવા માટે આતંકવાદીઓના આદેશોનો વિરોધ કર્યો હતો, અને JKLFના અધિકારને ખુલ્લેઆમ પડકાર્યો હતો, જેના કારણે તેની હત્યા થઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે શોધખોળથી “ગુનાહિત પુરાવા” મળી આવ્યા છે જે ભટ્ટ અને તેના પરિવારને ન્યાય અપાવવાના ઉદ્દેશ્ય સાથે “સમગ્ર આતંકવાદી કાવતરાનો પર્દાફાશ” કરવામાં મદદ કરશે.

Tags: J&Ksia raid yasin malik's home
Previous Post

સોના પર કોઈ ટેરિફ નહીં લાગે, ટ્રમ્પે સસ્પેન્સનો અંત લાવ્યો

Next Post

લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ

January 20, 2026
ઈરાન હુમલો કરશે તો ઈઝરાયેલની વળતો હુમલો કરવા ચેતવણી
આંતરરાષ્ટ્રીય

ઈરાન હુમલો કરશે તો ઈઝરાયેલની વળતો હુમલો કરવા ચેતવણી

January 20, 2026
રશિયામાં હિમવર્ષાએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો : ૧૩ ફૂટ બરફ પડતા જનજીવન ખોરવાયું
આંતરરાષ્ટ્રીય

રશિયામાં હિમવર્ષાએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો : ૧૩ ફૂટ બરફ પડતા જનજીવન ખોરવાયું

January 20, 2026
Next Post
લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ

લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ

ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા તિરંગા સાથેની બાઈક રેલી કાઢવામાં આવી

ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા તિરંગા સાથેની બાઈક રેલી કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.