Tuesday, July 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ૨૪ X ૩૬૫ ચક્ષુદાન-દેહદાન સ્વિકારવા રેડક્રોસ કાર્યરત

ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયું કાલથી ઉજવાશે : રેડક્રોસ દ્વારા ૬૦થી વધુ કાર્યક્રમોનું આયોજન

aaspassdaily by aaspassdaily
2022-08-24 13:37:03
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આવતીકાલ ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમ્યાન રાષ્ટ્રીય ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર પ્રતિ વર્ષ ચક્ષુદાન અને દેહદાનની સેવામાં અવ્વલ નંબરે રહે છે અને જેને પ્રતિવર્ષ સેવા માટે રાજ્યપાલના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે. તાજેતરમાં કેન્દ્રિય આરોગ્યમંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જિલ્લામાં પ્રચાર પ્રસાર અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
રેડક્રોસ ભાવનગરમાં ચક્ષુદાન અને દેહદાનનો અલગ વિભાગ ૨૪ કલાક કાર્યરત રખાયો છે જે ક્યારેય કોઈ રજા વગર ૩૬૫ દિવસ કાર્યરત રહે છે રેડક્રોસ ખાતે ડોકટરની ટિમ અને નર્સિંગ ટિમ સાથે કલેરિકલ ટિમ દ્વારા કોઈના ધરે અવસાનનો બનાવ બને કે તેમના દ્વારા ચક્ષુદાન અથવા દેહદાનની ઈચ્છા વ્યક્ત કરે એટલે તુરંત રેડક્રોસની ટિમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે અને સાથે પરિવારજનોને ચક્ષુદાન અને દેહદાન માટે સમજાવવામાં આવે છે.અત્યાર સુધીમાં રેડક્રોસમાં ૧૦૨૮૪ ચક્ષુદાન અને ૯૬૨ દેહદાન થયા છે. એટલુંજ નહિ ભાવનગરથી સમગ્ર રાજ્યમાં જ્યાં જરૂર હોય ત્યાં ચક્ષુ અને મેડિકલ કોલેજને તબીબી અભ્યાસ માટે દેહદાન મોકલવામાં આવે છે. રેડક્રોસ ખાતે ૨૪ કલાક દરમ્યાન મો.૯૪૨૯૪૦૬૨૦૨, તથા ૦૨૭૮- ૨૪૨૪૭૬૧, અને ૨૪૩૦૭૦૦ નંબર ઉપર સંપર્ક કરીને ચક્ષુદાન અને દેહદાન માટે રેડક્રોસની ટિમને બોલાવી શકો છો.
ચક્ષુદાન વ્યક્તિ નું મૃત્યુ થયાના ૬ કલાકની અંદર કરવું જાેઈએ, અને દેહદાન મૃત્યુ થયાના ૮ થી ૯ કલાકના સમય દરમ્યાન કરવું જાેઈએ.પ્રતિવર્ષ દેશમાં એક લાખ કરતા વધુ લોકો આંખની કોર્નિયાની બીમારીના કારણે અંધાપાનો ભોગ બને છે તેમના માટે ચક્ષુદાન તેનો અંધાપો દૂર કરવા માટે આશીર્વાદરૂપ નીવડે છે ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા નિમિતે રેડક્રોસ ભાવનગર દ્વારા જિલ્લા અંધત્વ નિવારણ સોસાયટીના સહયોગથી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે જેમાં ઓન લાઇન સંકલ્પપત્રો ભરવા, રેલી, સ્લોગન અને ચિત્ર સ્પર્ધા, વિવિધ સર્કલો ઉપર જનજાગૃતિ પ્રદર્શન, શાળા અને કોલેજાેમાં આંખોની જાળવણીની તાલીમ અને કસરત સહિતના કાર્યક્રમો ળનું આયોજન કરવામાં આવેલ છે. ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા નિમિતે ૧૫ દિવસમાં ૬૦થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.

Tags: bhavnagarchaxudandehdanredcross
Previous Post

માલણકાના રત્ન કલાકાર ઉપર મરચાની ભૂકી છાંટી શખ્સે ધમકી આપ્યાની રાવ

Next Post

તળાજાના રાજપરા-૨ ગામના ડોકટર ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ

aaspassdaily

aaspassdaily

Related News

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા
તાજા સમાચાર

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

July 14, 2025
શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન
તાજા સમાચાર

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

July 14, 2025
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર
આંતરરાષ્ટ્રીય

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર

July 14, 2025
Next Post
તળાજાના રાજપરા-૨ ગામના ડોકટર ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ

તળાજાના રાજપરા-૨ ગામના ડોકટર ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ

ભાજપ સંગઠને હોદ્દા પરથી દુર કરેલા એક ઉપપ્રમુખ આપમાં ભળ્યા, બીજા અટક્યા

ભાજપ સંગઠને હોદ્દા પરથી દુર કરેલા એક ઉપપ્રમુખ આપમાં ભળ્યા, બીજા અટક્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.