Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇરાકમાં શિયા ધર્મગુરૂએ રાજનીતિમાંથી સંન્યાસ લેતા હોબાળો, ફાયરિંગમાં 8ના મોત

શ્રીલંકા જેવી સ્થિતિ નિર્માણ, રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ભીડ,રાજકીય સંકટે અરાજકતા ઉભી કરી

aaspassdaily by aaspassdaily
2022-08-30 10:39:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇરાકમાં અરાજકતાની સ્થિતિ પેદા થઇ છે. સોમવારે પાવરફુલ શિયા મુસ્લિમ ધર્મગુરૂ મુક્તદા અલ-સદરે રાજનીતિ છોડવાનું એલાન કરી દીધુ, જ્યારબાદ પરિસ્થિતિ વધુ બગડી ગઈ. બગદાદમાં ધર્મગુરૂના સમર્થકો અને ઈરાન સમર્થિત લોકો વચ્ચે ઘર્ષણ થઇ ગયું. ઘટનામાં 8 લોકોના મોત થઇ ગયા. ટોળાએ રાષ્ટ્રપતિ ભવન અને સરકારી બિલ્ડિંગ્સ પર ચડાઈ કરી દીધી છે. અમેરિકી દૂતાવાસના કર્મચારીઓને હેલિકોપ્ટરથી ગ્રીન ઝોનથી બહાર કાઢવામાં આવ્યા.
પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા માટે સેના આંસૂ ગેસના ગોળા છોડી રહી છે. આ વચ્ચે, ટોળું પ્રેસિડેન્ટ્સ પુલમાં સ્વિમિંગ પણ કરી રહ્યું છે. ધર્મગુરૂના સમર્થક રિપબ્લિક પેલેસના સ્વિમિંગ પુલમાં મસ્તી કરી રહ્યા છે.
છેલ્લા 10 મહિનાથી ન કોઈ સ્થાઈ પ્રધાનમંત્રી છે. ન કોઈ મંત્રિમંડળ છે અને ન કોઈ સરકાર છે. જેના કારણે ત્યાં રાજકીય અરાજકતાની સ્થિતિ બનેલી છે. એટલે જેમ શ્રીલંકામાં રાજકીય સંકટ બાદ ટોળાએ સંસદને બંધક બનાવી લીધી હતી. હવે તેવી પરિસ્થિતિ ઇરાકમાં બની ચૂકી છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સના અનુસાર, સોમવારે મૌલવીની રાજનીતિ છોડવાના નિર્ણયથી તેમના સમર્થકોમાં નારાજગી વધી ગઈ અને તેઓ રોડ પર ઉતરી આવ્યા. આ લોકોની તેહરાન સમર્થિત લોકોની સાથે અથડામણ થઇ ગઈ. તેમણે બગદાદના ગ્રીન ઝોનની બહાર એકબીજા પર પથ્થર માર્યા. જણાવી દઇએ કે, આ વિસ્તારમાં મંત્રાલયો અને દૂતાવાસોમાં રહેનારાના ઘર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ બગદાદમાં ગોળીઓના અવાજ સંભળાયા. હવાઈ ફાયરિંગ કરાતા ચકચાર મચી ગઈ. પોલીસ અને ડૉક્ટર્સ તરફથી જણાવાયું કે અથડામણમાં 8 લોકોના મોત થઇ ગયા અને 19 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. એ પણ જણાવ્યું કે શિયા ધર્મગુરૂના રાજનીતિ છોડ્યા બાદ પરિસ્થિતિ બગડવા અને તેમની જાહેરાતના કેટલાક કલાકો બાદ ઘર્ષણ વધ્યું. જોકે, ગ્રીન ઝોનમાં સ્થિત સંસદમાં શિયા ધર્મગુરૂના સમર્થક એક અઠવાડિયાથી ધરણા આપી રહ્યા હતા. તેમને પોતાના નેતાના રાજનીતિ છોડવાના એલાન અંગે જાણ થતા તેઓ ઉગ્ર થઇ ગયા.

Advertisement
Tags: dharmguru rajinamufiringIraq
Previous Post

આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક

Next Post

વિધર્મી યુવકે મહિલા-બાળકોનું કરાવ્યું ધર્મપરિવર્તન, પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

aaspassdaily

aaspassdaily

Related News

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર
તાજા સમાચાર

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર

December 9, 2023
મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી
તાજા સમાચાર

મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી

December 9, 2023
ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો
તાજા સમાચાર

ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો

December 9, 2023
Next Post
વિધર્મી યુવકે મહિલા-બાળકોનું કરાવ્યું ધર્મપરિવર્તન, પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

વિધર્મી યુવકે મહિલા-બાળકોનું કરાવ્યું ધર્મપરિવર્તન, પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

જાણીતા અર્થશાસ્ત્રી અને આયોજન પંચનાં પૂર્વ સદસ્ય અભિજીત સેનનું નિધન

જાણીતા અર્થશાસ્ત્રી અને આયોજન પંચનાં પૂર્વ સદસ્ય અભિજીત સેનનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.