રાજકોટના ગ્રામ્ય વિસ્તારની ધરા આજે સવારે 10.40 વાગ્યે ધ્રુજી ઉઠી હતી. કારણ કે, ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. જોકે રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોય તેવું લાગ્યું નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. ગોંડલ, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હળવા ભૂકંપથી ક્યાંય કોઇ નુકસાનીના કોઇ વાવડ મળ્યા નથી.