Friday, June 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અલંગ યાર્ડના ધંધાકીય પ્રશ્નોનું મંત્રી જીતુ વાઘાણીની મધ્યસ્થીમાં સુખદ સમાધાન

વિવિધ એસોસિએશનોની સંયુક્ત બેઠકમાં ધારાસભ્ય રમેશ ટીલાળાની ઉપસ્થિતિ; લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત

dharmendravaghela by dharmendravaghela
2026-06-15 12:39:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડમાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી ચાલતા ધંધાકીય પ્રશ્નના નિરાકરણ માટે આજે ધારાસભ્ય અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટના ધારાસભ્ય અને અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ ટીલાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અલંગના ઉદ્યોગો સાથે જોડાયેલા શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રિરોલિંગ મિલ એસોસિએશન, ફર્નેસ એસોસિએશન, પ્રોફાઈલ એસોસિએશન સહિતના તમામ સંલગ્ન સંગઠનોને આ સંયુક્ત મીટિંગમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તા અને રિરોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ ધાનાણી સહિત અન્ય એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. મીટિંગ દરમિયાન વિષ્ણુકુમાર ગુપ્તાએ સમગ્ર પ્રશ્નની રજૂઆત કરી તેના ફાયદા અને ગેરફાયદાઓ વિગતવાર સમજાવ્યા હતા. તેની સામે હરેશભાઈ ધાનાણીએ પણ આ વિવાદને કારણે ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ અને અડચણો વિશે હોદ્દેદારો વતી વાત મૂકી હતી.


તમામ પક્ષોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ, જીતુભાઈ વાઘાણી અને રમેશભાઈ ટીલાળા દ્વારા હકારાત્મક વલણ અપનાવીને આ ગૂંચવાયેલા પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવી આપવામાં આવ્યું છે. ઉદ્યોગ જગતના આ મોટા પ્રશ્નમાં બંને નેતાઓએ પોતાનો કિંમતી સમય ફાળવીને સમાધાન કરાવી આપતાં, હાજર રહેલા તમામ એસોસિએશનો અને હોદ્દેદારોએ જીતુભાઈ વાઘાણી તથા રમેશભાઈ ટીલાળાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags: alangbhavnagarsamadhan
Previous Post

ભાવનગરમાં LRDની પરીક્ષામાં યુવક મોબાઈલ સાથે ઝડપાયો

Next Post

અમેરિકન વાયુસેનાનું પરમાણુ હથિયાર વહન કરવા સક્ષમ વિમાન ક્રેશ થતા ૮ ક્રૂ મેમ્બરના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવારના વર્ગો માટે જોડાયેલા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

June 19, 2026
મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો
ભાવનગર

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

June 19, 2026
ભાવનગર

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

June 19, 2026
Next Post
અમેરિકન વાયુસેનાનું પરમાણુ હથિયાર વહન કરવા સક્ષમ વિમાન ક્રેશ થતા ૮ ક્રૂ મેમ્બરના મોત

અમેરિકન વાયુસેનાનું પરમાણુ હથિયાર વહન કરવા સક્ષમ વિમાન ક્રેશ થતા ૮ ક્રૂ મેમ્બરના મોત

કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલ અને એટીએફ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો

કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલ અને એટીએફ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.