Friday, June 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઓમાનના દરિયાકાંઠે વ્યાપારી જહાજ ઉપર હુમલો

હોર્મુઝની ખાડીમાં ફરી તંગદિલી સર્જાઈ : હુમલા બાદ ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનએ પર્સિયન ગલ્ફમાંથી ફસાયેલા જહાજોને બહાર કાઢવાનું ઓપરેશન અટકાવી દીધું

dharmendravaghela by dharmendravaghela
2026-06-26 11:27:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. બ્રિટિશ સૈન્યના જણાવ્યા અનુસાર, ઓમાનના દરિયાકાંઠે એક વ્યાપારી જહાજ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. એક અમેરિકન અધિકારીએ ઓળખ ન આપવાની શરતે ખુલાસો કર્યો છે કે ‘એવર લવલી’ નામના આ મર્ચેન્ટ જહાજ પર ઈરાનની પેરામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જહાજને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ કે પર્યાવરણીય નુકસાનના અહેવાલ નથી.
આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનએ મોટો નિર્ણય લેતા પર્સિયન ગલ્ફમાંથી ફસાયેલા જહાજોને બહાર કાઢવાનું ઓપરેશન અટકાવી દીધું છે. એજન્સીના સેક્રેટરી-જનરલ આર્સેનિયો ડોમિંગુએઝે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ રૂટ પર જહાજોની સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી ન મળે ત્યાં સુધી આ રેસ્ક્યૂ ઓપરેશન હોલ્ડ પર રહેશે. જોકે, જે જહાજ પર હુમલો થયો તે આ રેસ્ક્યૂ ઓપરેશનનો ભાગ નહોતું.
આ હુમલાના થોડા કલાકો પહેલા જ ઈરાને ધમકી આપી હતી કે તેની પરવાનગી વિના આ રૂટનો ઉપયોગ કરનારા જહાજોને રોકી દેવામાં આવે. ઈરાનની નવી સરકારી એજન્સી ‘પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી’ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે ઈરાન દ્વારા નક્કી કરાયેલા રૂટ સિવાય અન્ય કોઈ માર્ગેથી પસાર થનારા જહાજોને સુરક્ષાની કોઈ ગેરંટી આપવામાં આવશે નહીં. રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું છે કે ઓમાન અને આઈએમઓ દ્વારા તૈયાર કરાયેલો આ નવો રૂટ અસ્વીકાર્ય અને અત્યંત જોખમી છે. અગાઉ બુધવારે ઈરાની સૈનિકોએ રેડિયો પર એક ટેન્કરને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તમે અમારી મિસાઈલોની રેન્જમાં છો અને અમે ગમે ત્યારે ફાયરિંગ કરી શકીએ છીએ.’

Tags: attack on merchant shipoman coast
Previous Post

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

Next Post

વેનેઝુએલામાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત : મૃત્યુ આંક ૨૩૫ થયો

dharmendravaghela

dharmendravaghela

Related News

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા
તાજા સમાચાર

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા

June 26, 2026
સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત

June 26, 2026
ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત
તાજા સમાચાર

ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત

June 26, 2026
Next Post
વેનેઝુએલામાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત : મૃત્યુ આંક ૨૩૫ થયો

વેનેઝુએલામાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત : મૃત્યુ આંક ૨૩૫ થયો

ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત

ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.