દેશમાં આવી રહેલી ચૂંટણીઓમાં અને તહેવારોને પણ ખ્યાલમાં રાખી હવે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ તથા પેન્શનરો માટે ‘દશેરા’ ભેટ તૈયાર કરી છે જેમાં ડી.એ.માં 3%ના વધારાની સાથે સાતમા પગાર પંચના જે ભથ્થા લાંબા સમયથી અટવાયા છે તેને પણ છૂટા કરાશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થા વધારાનો લાભ મળે છે જેમાં 28 સપ્ટેમ્બરના નવરાત્રીના સમયે મોંઘવારી ભથ્થુ 4% વધારવામાં આવશે અને તેનાથી કેન્દ્રના કર્મચારીઓ તથા પેન્શનરોને કુલ 38% મોંઘવારી ભથ્થુ મળશે તેટલું જ નહી.
આ નવો મોંઘવારી ભથ્થા વધારો જુલાઈ-2022થી લાગુ થશે જેથી બે માસનું એરીયર્સ પણ દશેરા પુર્વે ચુકવાઈ જશે. જેના કારણે કેન્દ્રના લાખો કર્મચારીઓ પેન્શનરોને દશેરા પર જબરી પગાર વધારા ગીફટ મળશે. બીજી તરફ કેન્દ્રના પગલે રાજયના કર્મચારીઓને પણ દિપાવલી પુર્વે જ મોંઘવારી ભથ્થા વધારો મળી જશે. જો કેન્દ્રીય કર્મચારીને રૂા.18000ના એન્ટ્રી લેવલના બેઝીક પગારની સ્થિતિએ જોઈએ તો માલિક રૂા.720નો પગાર વધી જશે. જયારે સૌથી વધુ બેઝીક સેલેરી કેબીનેટ સેક્રેટરીનો છે જે 56900નો બેઝીક પગાર મેળવે છે તેને રૂા.23312 પ્રતિમાસ પગાર વધી જશે.