નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. આ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમની જળ સપાટી 138.67 મીટરે પહોંચી છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા ડેમની જળ સપાટી વધતા લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે.
નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 84072 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે સિઝનમાં બીજી વાર નર્મદા ડેમ 138.67 મીટરે પહોંચ્યુ છે. નોંધનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ 100 ટકા ભરાયો છે. જેનાથી ત્યાંનો નજારો જોવા જેવો થયો છે. નર્મદા નદીમાં કુલ 83542 કયુએક પાણીની જાવક થઇ રહી છે. આવક કરતા જાવકનું પ્રમાણ ઓછું છે. RBPH CHPH ના તમામ પાવર હાઉસ ચાલુ છે. જેના કારણે, રોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઇ રહ્યુ છે.