કચ્છના નખત્રાણામાં પ્રેમ લગ્નમાં યુવકની માતાને જીવતી સળગાવાઈ હોવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ કચ્છના નખત્રાણાના વિજપાસર ગામનો છે જ્યાં યુવતીના પ્રેમ લગ્નથી ઉશ્કેરાયેલા પરિવારજનોએ કૃત્ય આચર્યું છે. જેમણે ઘરમાં ઘુસી યુવકની માતાને જીવતી સળગાવી હતી. આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલી મહિલાને ભુજ હોસ્પિટલ ખસેડાઇ હતી. નખત્રાણા પોલીસે બનાવ બાબતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.