પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, સાથે અભ્યાસ કરતા પ્રણવ નામના વિદ્યાર્થીએ કરી વિદ્યાર્થિનીની હત્યા કરી હતી. પ્રેમ સંબધ રાખવા દબાણ કરી લેબોરેટરીમાં વિદ્યાર્થિનીની હત્યા કરી આરોપી વિદ્યાર્થી ફરાર થઈ ગયો હતો. પોલીસે પ્રણવ ગાવિત નામના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના ઉમરગામ તાલુકાના કછી ગામની તિતિક્ષા પટેલ (ઉં.વ 21) વડસ્મા નજીક આવેલી શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. આ યુવતી થોડા દિવસો પહેલા કોલેજમાંથી ગુમ થઈ ગઈ હતી. સાથે જ કોલેજનો એક યુવક પણ ગુમ થઈ ગયો હતો. જેની પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી બે દિવસ અગાઉ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટરોની મદદથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.






