PM મોદીએ બચાવ કાર્ય વિશે જાણવા માટે એક મીટિંગ બોલાવી છે. PM મોદી ઓડિશાના બાલાસોરમાં અકસ્માત સ્થળની મુલાકાત કરશે અને ઘટનાસ્થળે સ્થિતિની સમીક્ષા કરશે. આ પછી વડાપ્રધાન પીડિતોને પણ મળશે.
બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈ NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોર્પ્સ અકસ્માત સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયકે શનિવારે (3 જૂન) સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે, રેલ્વે મંત્રીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે.






