અમદાવાદના દરિયાપુરમાં કડિયાનાકા પાસે ગઈકાલે સાંજે રથયાત્રા દરમિયાન એક મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં રથયાત્રાના દર્શન કરવા બાલ્કનીમાં ઉભેલા લોકો નીચે ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 36 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે.
દરિયાપુરમાં જર્જરિત મકાનને AMCની ટીમ નોટિસ આપવાનું ભૂલી ગઈ હોવાનું સામે આવ્યું છે. કારણ કે મકાનની બાલ્કની તૂટ્યા બાદ AMCએ મકાન જર્જરિત હોવાની નોટિસ લગાવી હતી. AMCના કર્મચારીનો નોટિસ લગાવતો વીડિયો પણ સામે આવ્યો છે. AMCની બેદરકારીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. તો જર્જરિત મકાનની બાલ્કની તૂટવાના કારણે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે.