આજે સરદાર પટેલ જયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદી એકતા નગર ખાતે ઉપસ્થિત છે. સરદારની વિરાટ પ્રતિમા ને ચરણસ્પર્શ સાથે પુષ્પાંજલિ અર્પિત વડાપ્રધાને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે,આ પ્રતિમાના નિર્માણમાં એક ભારતનો સંદેશ રહેલો છે. ભારતના ખેડૂતોએ ઓજારો આપ્યા છે. આ મોટી પ્રેરણા છે. આ પ્રેરણાથી પ્રેરાઈને કરોડો લોકો આવે છે. સરદાર સાહેબના આદર્શથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ છે.આવનારા 25 વર્ષ સૌથી મહત્વપૂર્ણ 25 વર્ષ છે. ભારતને સમૃદ્ધ બનાવવાનું છે. ભારતને વિકસિત બનાવવાનું છે. આપણને ગર્વ છે કે ભારત ચંદ્ર પર પહોંચ્યું છે. દેશ-દુનિયામાં તિરંગાની શાન વધી રહી છે. ઓલિમિપ્કમાં મેડલની સદી કરી છે. ભારતે ગુલામીની માનસિકતાને ત્યાગીને આગળ વધવાનો સંકલ્પ લીધો છે.
આજે એવું કોઈ લક્ષ્ય નથી કે ભારત મેળવી ન શકે. ભારતવાસી મેળવી ન શકે તેવો કોઈ સંકલ્પ નથી. દરેકનો પ્રયાસ હોય તો અસંભવ કાંઈ હોતું નથી. કોણે વિચાર્યું હતું કે ક્યારેય કાશ્મીર કલમ 370થી મુક્ત થઈ શકે. પણ આજે કાશ્મીર અને દેશ વચ્ચેની 370 કલમની દીવાલ પડી ગઈ છે. સરદાર સાહેબ જ્યાં પણ હશે, તેમનો આત્મા રાજી થતો હશે. કાશ્મીરના લોકો આઝાદીની હવામાં શ્વાસ લઈ રહ્યા છે.