વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મંગળવારે બીજો દિવસ છે. વડાપ્રધાન આજે સવારે નર્મદા જિલ્લાના કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં જ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન યોજાનારી પરેડમાં BSFઅને પોલીસની માર્ચ ટુકડીઓ પણ ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સવારે કેવડિયા કોલોની ખાતે હેલિપેડથી આવ્યા હતા. જેને સ્થાનિક પ્રસાશન અને સચિવો આવકાર્યા હતા. જ્યાંથી સીધા તેઓએ સ્ટેચ્યુ ઓફો યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ સ્પર્શ કરી પૂજા કરી. પ્રતિમાની પૂજા કરી સીધા પરેડ ગ્રાઉન્ડ પર હાજર રહી અને રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપી હતી. જ્યાં ગુજરાત રાજ્ય પોલીસ ફ્લેગ માર્ચ કરી હતી. કેમલ માર્ચ અને હોર્સ માર્ચ સાથે IBPT, CRPF, BSF, NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો વિવિધ કરતબો કર્યા હતા. આ પરેડ દરમિયાન યુવાનોએ ચંદ્રયાન-3 મિશનના સફળ પરીક્ષણ પર ખુશી વ્યક્ત કરતું પરફોર્મ આપ્યું હતું. યુવાનોએ દેશની આ ઐતિહાસિક સિદ્ધિની નાનકડી ઝલક રજૂ કરી હતી. તેમજ તિરંગાની પ્રતિકૃતિ રજૂ કરીને સમાપન કરાયું હતું.
મોદી એકતા નગરમાં વિકાસ અને પર્યટન સંબંધિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેમાં 30 ઈ-બસ, સિટી ગેસ સુવિધા અને ગોલ્ફ કાર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મુલાકાતી કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. અહીં ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને મનોરંજન માટે ઘણી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. મોદી ડ્રેગન ફ્રૂટ નર્સરી કમલમ પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે. રવિવાર, 29 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 106મા એપિસોડને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે 31 ઓક્ટોબરથી ‘મેરા યુવા ભારત’ નામનું દેશવ્યાપી સંગઠન શરૂ કરવાની વાત કરી હતી.