તા.૨૨ જાન્યુઆરીને સોમવારે અયોધ્યામાં રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે સમગ્ર દેશની સાથે ગુજરાતની તમામ ૧૬ હજાર ર્સ્વનિભર શાળાના ૫૦ લાખ વિદ્યાર્થીઓ આ ઉજવણીમાં સહભાગી બનશે જેમાં સવારે ૧૧.૪૫થી બપોરના ૧૨.૪૫ દરમિયાન આ ઉજવણી કરવામાં આવશે. જેમાં ખાસ તો બપોરના ૧૨.૩૯ કલાકના વિજય મુહૂર્તમાં સામૂહિક આરતી અને સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે તેમ ગુજરાત ર્સ્વનિભર શાળા સંચાલક મહામંડળના સંયોજક મનહરભાઇ રાઠોડે જણાવ્યું હતુ.
૨૨ જાન્યુઆરીને સોમવારે શાળાઓમાં યોગ્ય સુશોભન કરવામાં આવશે. રંગોળીઓ સાથે દીપકો પ્રગટાવવામાં આવશે. રામચંદ્રજીના ફોટા કે પ્રતિમા હોય તેની સાથે યોગ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવશે. મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે… રામ આયેગેેેે….રામ આયેગે તો અંગના.. સહિતના જાણીતા ગીતોનું સામૂહિક ગાન પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના ઘરે ૨૨ જાન્યુઆરને સોમવારે દીપાવલીની માફક દીવા પ્રગટાવીને ઉજવણી કરવાની શિક્ષકો સમજ આપશે. આ ઉજવણી આમ તો જનરલ છે છતાં શાળા કક્ષાએ યોગ્ય ઇચ્છા મુજબ ઉજવણી કરી શકાશે. ફેડરેશન દ્વારા એક લિંક મોકલવામાં આવશે. આમ સમગ્ર દેશભરની સાથે રાજ્યમાં અને ભાવનગરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
ભાવ. શહેર-જિલ્લાની ૨૫૦ ખાનગી શાળાઓ ભાગ લેશે
ગુજરાત રાજ્ય ર્સ્વનિભર શાળા સંચાલક મંડળ દ્વારા આગામી તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં સહભાગી થવા રાજ્યભરની ખાનગી શાળાઓને આહવાન કર્યું છે અને આ દિવસે ૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ તથા આરતી કરનાર છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાની ૨૫૦ થી વધુ ખાનગી શાળાઓના ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જાેડાઈ અને સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ તથા આરતી કરશે તેમ ભાવનગરની જ્ઞાનગુરુ વિદ્યાપીઠના સંચાલક અને ગુજરાત રાજ્ય ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના સંયોજક મનહરભાઈ રાઠોડએ જણાવ્યું હતું.