ભાવનગરના કુંભારવાડા, મોતી તળાવ વિસ્તારમાં રહેતી મહિલા અને તેની બહેનને મહિલાના પૂર્વ પતિએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ તેના પૂર્વ પતિ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં રહેતા રોઝીબહેન મુસ્તાકભાઈ શેખ ના ચાર વર્ષ પહેલા તેના પતિ ઈરફાન અશરફભાઈ સુમરા સાથે છૂટાછેડા થઈ ગયા હોય ગઈકાલે રોઝીબહેન તેમની માતા, બહેન સહિતના તેમના ઘર પાસે હતા ત્યારે રોઝીબહેનનો પૂર્વ પતિ ઇરફાન ત્યાં આવ્યો હતો અને તેની એક વર્ષની દીકરીને રમાડવા માટે લઈ જવાનું કહેતા રોઝીબહેને દીકરીને લઈ જવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા ઇરફને ગાળો આપી રોઝીબહેન તેમજ તેના બહેન નફીસાબહેનને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે રોઝીબહેને તેના પૂર્વ પતિ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.