પ્રિયંકા ગાંધી આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, વલસાડના ધરમપુરમાં અનંત પટેલ માટે માંગશે મત
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતા ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી આજે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી પ્રચારનો પ્રારંભ કરશે. પ્રિયંકા ગાંધી પાંચ વર્ષ બાદ ગુજરાત આવી રહ્યાં છે. અંતિમ વખત તે માર્ચ 2019માં અમદાવાદ આવ્યા હતા.
પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરશે. પ્રિયંકા ગાંધી વલસાડના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે. વલસાડ બેઠક પર ભાજપે ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતમાં વલસાડ તે બેઠકમાં સામેલ છે જેના પર કોંગ્રેસની અત્યારે સારી સ્થિતિ છે.