Saturday, July 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુકેશ અંબાણીએ રિલાયન્સ જીઓના ચેરમેન તરીકે આપ્યું રાજીનામું

આકાશ અંબાણી બન્જિયા જીઓના નવા ચેરમેન

aaspassdaily by aaspassdaily
2022-06-28 12:19:04
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે. તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે. કંપનીએ સેબીને પણ આ અંગેની માહિતી આપી છે.
પિતા ધીરુભાઈ અંબાણીના નિધન પછી મોટાભાઈ મુકેશ અંબાણીએ 2002માં રિલાયન્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી. જોકે તેમની પેઢીનો સક્સેસ પ્લાન ઘણો ઉથલ-પાથલ ભર્યો રહ્યો હતો. વિવાદનો અંત રિલાયન્સ ગ્રુપના વિભાજનના રૂપમાં આવ્યો હતો. મુકેશ અંબાણી તે સ્થિતિને ટાળવા માંગે છે. તેમના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંત રિલાયન્સના ટેલિકોમ, રિટેલ અને એનર્જી બિઝનેસમાં સામેલ છે. મુકેશ અંબાણીએ પોતાના બાળકો વિશે કહ્યું હતું કે મને એ બાબતે કોઈ શંકા નથી કે આકાશ, ઈશા અને અનંત, ત્રણે આગામી પેઢીના લીડર બનીને રિલાયન્સને વધુ ઉંચાઈ સુધી લઈ જશે.


બોર્ડે આકાશ ઉપરાંત રામિંદર સિંહ ગુજરાલ અને કેવી ચૌધરીને પણ એડિશનલ ડાયરેક્ટર બનાવવાની મંજૂરી આપી છે. આ બંનેને 05 વર્ષ માટે ઈન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે. આ રીતે બોર્ડે પંકજ મોહન પવારને રિલાયન્સ જિયોના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવાને પણ મજૂરી આપી છે. આ નિમણૂંક પણ 27 જૂન 2022થી આગામી 05 વર્ષ માટે છે. આ નિમણૂંકને હાલ શેરહોલ્ડર્સની મંજૂરી મળવાની બાકી છે.
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે મંગળવારે શેરબજારોને આ અંગેની માહિતી આપી. કંપનીએ જણાવ્યું કે મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને બજાર બંધ થઈ ગયા પછીથી માન્ય થઈ ગયું છે. કંપનીએ આ સિવાય આકાશ અંબાણીને બોર્ડના નવા ચેરમેન બનાવવા અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નોન-એક્સિક્યૂટિવ ડાયરેક્ટર આકાશ અંબાણીને ચેરમેન નિમણૂંક કરવાની મંજૂરી પણ આપી દીધી છે.

Tags: AmbaniindiaJiomukesh
Previous Post

બિઝનેસ ટાયકૂન પદ્મ ભૂષણ પાલોનજી મિસ્ત્રીનું નિધન

Next Post

બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ, બગડ નદી બે કાંઠે વહી

aaspassdaily

aaspassdaily

Related News

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી
તાજા સમાચાર

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી

July 18, 2025
મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી
તાજા સમાચાર

મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી

July 18, 2025
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી
Uncategorized

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી

July 18, 2025
Next Post
ગાજવીજ સાથે રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ

બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ, બગડ નદી બે કાંઠે વહી

રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ મામલે સંતોષકારક કાર્યવાહી નહિ થતા ફરી વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.