Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ 3 કલાકમાં જળબંબાકાર

એક મહિનાનો વરસાદ 3 કલાકમાં, ઠેર-ઠેર રસ્તાઓ બેટમાં ફેરવાયા

aaspassdaily by aaspassdaily
2022-07-08 13:29:40
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતભરમાં આજે અનેક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઠેર-ઠેર પાણી પણ ભરાયા હતા. ત્યારે મનપા કમિશનરની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોટર કમિટિની ચેરમેન જતીન પટેલના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. તો મનપા કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 1 મહિનાનો વરસાદ આજે 1 જ દિવસમાં પડી ગયો.

Advertisement


અમદાવાદ મનપાના કમિશનરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 130.70 MM એટલે કે સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ઉસ્માનપુરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઝોન મુજબ વાત કરીએ તો પૂર્વ ઝોનમાં 135 MM, પશ્ચિમ ઝોનમાં 129 MM, મધ્ય ઝોનમાં 103 MM વરસાદ આજે પડ્યો હતો. સાથે જ ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને દરેક ઝોનમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે.

આગામી 5 દિવસ માછીમારોને દરિયામાં ન જવા સૂચન

રાજ્યમાં વલસાડ, સુરત, દાદર નગર હવેલી, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે. જ્યારે અમદાવાદમાં આજે સાંજ સુધીમાં સારો એવો વરસાદ પડી શકે છે. સાથે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયામાં ન જવા પણ સૂચન કર્યું છે.

Tags: gujaratindiarain
Previous Post

ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ

Next Post

ખાદ્ય તેલના ભાવ ઘટાડવાનો કંપનીઓને સરકારે આપ્યા આદેશ

aaspassdaily

aaspassdaily

Related News

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો
ભાવનગર

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો

December 9, 2023
મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ
ભાવનગર

મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ

December 9, 2023
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા
ભાવનગર

મહુવામાં ગાળો બોલવાની ના કહેતા પિતા-પુત્રોનો પાડોશી ઉપર હુમલો

December 9, 2023
Next Post
બ્રાન્ડેડ ખાદ્યતેલોની કિંમત દેશભરમાં એકસમાન રહેશે

ખાદ્ય તેલના ભાવ ઘટાડવાનો કંપનીઓને સરકારે આપ્યા આદેશ

પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ વિષય પરના સહુપ્રથમ ગુજરાતી પુસ્તકનું થયું લોકાર્પણ

પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ વિષય પરના સહુપ્રથમ ગુજરાતી પુસ્તકનું થયું લોકાર્પણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.