Monday, February 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ વિષય પરના સહુપ્રથમ ગુજરાતી પુસ્તકનું થયું લોકાર્પણ

aaspassdaily by aaspassdaily
2022-07-08 13:50:54
in સમાચાર, સંસ્થા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના જાણીતાં ડાયેટીશિયન સલોની ચૌહાણ દ્વારા લખાયેલ સ્ત્રીઓમાં અંત: સ્ત્રાવના ફેરફારોને લીધે જોવા મળતી અંડાશયને લગતી બીમારી એટલે કે પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ વિષય પર લખાયેલા વિશિષ્ટ અને ગુજરાતી ભાષાના એકમાત્ર પુસ્તકનું વિમોચન ઝવેરચંદ મેઘાણી મીની ઓડીટોરિયમ ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ડૉ. કૈરવી જોશી, ડૉ. ગિરીશ વાઘાણી, સુશ્રી અમરજ્યોતિબા ગોહિલ તથા નિશીથ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકના સહલેખકો તરીકે ડૉ. રવિ પટેલ, ડૉ. પરેશ દોશી અને ડૉ. રજની પરીખે પણ ઉપયોગી પ્રદાન આપેલ છે. આ બીમારી પરત્વે સંકોચ, ડર અને અપૂરતી જાગૃતિને કારણે અનેક મહિલાઓ મૂંઝવણ અનુભવતી હોય છે. આ સ્થિતિમાં સ્ત્રીઓની અંદર હોર્મોનના અસંતુલનને કારણે માસિક સ્ત્રાવની અનિયમિતતા, ખીલ, તૈલી ત્વચા, વાળને લગતી સમસ્યાઓ, પ્રસૂતિને લગતા અવરોધો, ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે. “PCOS સમાધાન” આ શીર્ષક સાથેના પુસ્તક થકી મહિલાઓમાં આ સ્થિતિ પ્રત્યે જાગૃતિ કેળવાય અને સાથોસાથ યોગ્ય આહારપ્રણાલિથી આ સ્થિતિનું નિયમન કઈ રીતે કરી શકાય એની સરળ અને સહજ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવાનો એક સફળ અને ઉપયોગી પ્રયાસ કરવામાં આવેલ છે.ભાવનગર રાજ્યના કુંવરી સાહેબ બ્રિજેશ્વરીબા ગોહિલે આ પુસ્તક અને આ ઉપક્રમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ પુસ્તકની સંપૂર્ણ આવક લોકકલ્યાણના ઉદ્દેશો માટે રોટરી ક્લબ ભાવનગર રોયલને સમર્પિત કરવાનો સંકલ્પ પણ લેખિકા અને એમના પરિવાર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ડૉ. એસ. એ. ચૌહાણ દ્વારા સહુનું આભારદર્શન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ફિરદૌસ દેખૈયાએ કરેલ હતું.

Tags: bhavnagarvimochan
Previous Post

ખાદ્ય તેલના ભાવ ઘટાડવાનો કંપનીઓને સરકારે આપ્યા આદેશ

Next Post

અમરનાથ ગુફા પાસે આભ ફાટ્યું, 5 લોકોના થયા મોત

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં લાપત્તા થયેલ ભારતીય યુવક મૃત હાલતે મળી આવ્યો

February 16, 2026
ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયર, ટ્રમ્પની જાહેરાત
આંતરરાષ્ટ્રીય

સંભવિત પરમાણુ કરારમાં ઈરાનના પરમાણુ માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવું અનિવાર્ય : ઇઝરાયલ

February 16, 2026
જો તમે સમાધાન ઈચ્છો છો તોસમગ્ર સચ્ચાઈ સ્વીકારવાની જરૂર
આંતરરાષ્ટ્રીય

અમેરિકાની વર્તમાન રાજનીતિ જોકર શો સમાન : બરાક ઓબામા

February 16, 2026
Next Post
અમરનાથ ગુફા પાસે આભ ફાટ્યું, 5 લોકોના થયા મોત

અમરનાથ ગુફા પાસે આભ ફાટ્યું, 5 લોકોના થયા મોત

આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી

આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.