Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ વિષય પરના સહુપ્રથમ ગુજરાતી પુસ્તકનું થયું લોકાર્પણ

aaspassdaily by aaspassdaily
2022-07-08 13:50:54
in સમાચાર, સંસ્થા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના જાણીતાં ડાયેટીશિયન સલોની ચૌહાણ દ્વારા લખાયેલ સ્ત્રીઓમાં અંત: સ્ત્રાવના ફેરફારોને લીધે જોવા મળતી અંડાશયને લગતી બીમારી એટલે કે પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ વિષય પર લખાયેલા વિશિષ્ટ અને ગુજરાતી ભાષાના એકમાત્ર પુસ્તકનું વિમોચન ઝવેરચંદ મેઘાણી મીની ઓડીટોરિયમ ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ડૉ. કૈરવી જોશી, ડૉ. ગિરીશ વાઘાણી, સુશ્રી અમરજ્યોતિબા ગોહિલ તથા નિશીથ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકના સહલેખકો તરીકે ડૉ. રવિ પટેલ, ડૉ. પરેશ દોશી અને ડૉ. રજની પરીખે પણ ઉપયોગી પ્રદાન આપેલ છે. આ બીમારી પરત્વે સંકોચ, ડર અને અપૂરતી જાગૃતિને કારણે અનેક મહિલાઓ મૂંઝવણ અનુભવતી હોય છે. આ સ્થિતિમાં સ્ત્રીઓની અંદર હોર્મોનના અસંતુલનને કારણે માસિક સ્ત્રાવની અનિયમિતતા, ખીલ, તૈલી ત્વચા, વાળને લગતી સમસ્યાઓ, પ્રસૂતિને લગતા અવરોધો, ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે. “PCOS સમાધાન” આ શીર્ષક સાથેના પુસ્તક થકી મહિલાઓમાં આ સ્થિતિ પ્રત્યે જાગૃતિ કેળવાય અને સાથોસાથ યોગ્ય આહારપ્રણાલિથી આ સ્થિતિનું નિયમન કઈ રીતે કરી શકાય એની સરળ અને સહજ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવાનો એક સફળ અને ઉપયોગી પ્રયાસ કરવામાં આવેલ છે.ભાવનગર રાજ્યના કુંવરી સાહેબ બ્રિજેશ્વરીબા ગોહિલે આ પુસ્તક અને આ ઉપક્રમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ પુસ્તકની સંપૂર્ણ આવક લોકકલ્યાણના ઉદ્દેશો માટે રોટરી ક્લબ ભાવનગર રોયલને સમર્પિત કરવાનો સંકલ્પ પણ લેખિકા અને એમના પરિવાર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ડૉ. એસ. એ. ચૌહાણ દ્વારા સહુનું આભારદર્શન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ફિરદૌસ દેખૈયાએ કરેલ હતું.

Tags: bhavnagarvimochan
Previous Post

ખાદ્ય તેલના ભાવ ઘટાડવાનો કંપનીઓને સરકારે આપ્યા આદેશ

Next Post

અમરનાથ ગુફા પાસે આભ ફાટ્યું, 5 લોકોના થયા મોત

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અમરનાથ ગુફા પાસે આભ ફાટ્યું, 5 લોકોના થયા મોત

અમરનાથ ગુફા પાસે આભ ફાટ્યું, 5 લોકોના થયા મોત

આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી

આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.