મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે. તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.