Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એક જગ્યાએ 3 વર્ષ પૂરા કરી ચૂકેલા કર્મીઓની બદલી કરાશે

સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી દઇને મુખ્ય સચિવે પંચને જાણકારી આપવા લેખિત સુચના

aaspassdaily by aaspassdaily
2022-08-04 10:46:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આગામી વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ચૂક્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય તેવા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા હોય તેવા સરકારીકર્મચારી -અધિકારીની બદલીની સૂચના રાજ્ય સરકારને આપવામાં આવી છે. જે કર્મચારી ગુનાહિત કેસ ચાલતો હોય એવા કર્મચારીને ચૂંટણીની કામગીરીથી દૂર રાખવા પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
જે સરકારી કર્મીની બદલી કરાય તેમાં પણ તેમને વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓની પણ બદલી કરવામાં આવશે. જો અગાઉ કોઇ અધિકારી સામે શિસ્તભંગના પગલા લેવા ચૂંટણી પંચે સૂચના આપી હોય તેમને પણ ચૂંટણી કામગીરીમાં મૂકી શકાશે નહીં. તે સાથે તેમનું વતન હોય તેવા સ્થળે પણ ફરજ સોંપી શકાશે નહીં. પોલીસ તંત્રમાં પણ પીએસઆઇ કે તેનાથી ઉપરની રેન્કના અધિકારીઓને તેમના વતનમાં નિમણૂક નહીં આપી શકાય.
ગુજરાત અને હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવને ચૂંટણી કામકાજને લઇને પંચ દ્વારા સૂચના પાઠવાઇ છે. ગુજરાત વિધાનસભાની મુદત ૧૮ ફેબ્રુઆરી-૨૦૨૩એ પૂર્ણ થઇ રહી છે. ચૂંટણી મહત્વની હોઇ ગેરરીતિ ન થાય તે માટે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા ચૂંટણીની પ્રક્રિયા સાથે સંકળાયેલા સરકારી કર્મીઓની બદલી કરવા સૂચના અપાઇ છે. તેમાં શિક્ષક, શાળાના આચાર્ય, તબીબ અને ઇજનેર વિગેરે સરકારી નિમણૂકોના કિસ્સામાં છૂટછાટ અપાઇ છે પરંતુ તેમાંથી કોઇની સામે ફરિયાદ ન હોય કે રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય તો અધિકારી-કર્મચારીઓની બદલી કે નિમણૂકની તેમની ખાતાકીય તપાસ પણ કરાવી શકશે. આ કામગીરી સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી દઇને મુખ્ય સચિવે પંચ ને જાણકારી આપવા લેખિત સુચના આપવામા આવી છે.

Tags: gujaratKarmachari Badli
Previous Post

5 ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજોને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ

Next Post

કોફીની આડમાં થઈ રહી છે ડ્રગ્સની હેરાફેરી!

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કોફીની આડમાં થઈ રહી છે ડ્રગ્સની હેરાફેરી!

કોફીની આડમાં થઈ રહી છે ડ્રગ્સની હેરાફેરી!

ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ

ગ્રેડ પે જાહેર ન થાય ત્યાં સુધી પોલીસ માટે સરકાર ઇન્ટરિમ પેકેજ જાહેર કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.