Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગીરના સાવજાેને ભાવનગરનું બૃહદ ગીર ઉપરાંત દરિયા કાંઠો પણ આવી ગયો છે માફક

જિલ્લામાં દરીયા કાંઠાના વિસ્તારમાં ૧૭ મળી કુલ ૮૦ જેટલા સાવજાેનું વિચરણ, વસવાટ

aaspassdaily by aaspassdaily
2022-08-09 13:53:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વનરાજાે ગીરનું જંગલ છોડી ભાવનગર બૃહદ ગીર તરફ આગળ ધપી રહ્યા છે, હાલ જિલ્લાના જંગલ અને દરિયા કાંઠાના વિસ્તારમાં મળી ૮૦થી વધુ સિંહનો વસવાટ, વિચરણ હોવાનું મનાય છે. કાલે ૧૦ ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ છે ત્યારે ગોહિલવાડ માટે ગૌરવની વાત છે કે, ખાનદાની અને ખુમારી માટે વખાણાતું પ્રાણી-વનના રાજા સિંહોને અહીંની મહેમાનગતિ માફક આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગીરનું જંગલ હાઉસફુલ થતા હવે સિંહોના વસવાટ માટે ભાવનગરનું જંગલ એક માત્ર વિકલ્પ બચ્યો છે.!
જાેકે, ગોહિલવાડમાં ૧૮મી સદીમાં પણ સિંહોની વસ્તી હતી જે લુપ્ત થયા બાદ ૧૯૯૮માં ફરીથી સિંહોનું આગમન થયું અને ધીરે ધીરે વસ્તી વધતી રહી છે. છેલ્લે ૨૦૨૦માં તા.૫ અને ૬ જૂનના પૂનમ અવલોકન પદ્ધતિથી થયેલ સિંહની વસ્તી ગણતરી મુજબ દરિયા કાંઠાના વિસ્તારમાં ૧૭ સિંહોનો વસવાટ નોંધાયો છે.
ઇસ ૧૯૯૮માં ભાવનગરમાં ફરીથી સિંહનાં પ્રવેશની શરૂઆત થઈ. આ પ્રથમ રેકોર્ડ રાણી ગાળા , જેસર ખાતે નોંધાવામાં આવ્યો હતો.
છેલ્લા ૨૫ વર્ષમાં સિંહની વસ્તી ૮૦થી વધુ થઈ છે. હાલ જિલ્લામાં મહુવા, તળાજા, પાલીતાણા, જેસર અને કેટલીક હદે ગારિયાધારમાં સિંહોની હાજરી જાેવા મળે છે. જેમ જેમ ગીરમાં સિંહોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ બૃહદ ગીરનો વ્યાપ પણ વધતો જાય છે.
ભાવનગરમાં સિંહ ગણતરી માટે વિસ્તારને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ભાવનગર મુખ્ય વિસ્તાર (મેઈન લેન્ડ) અને દરિયાકિનારો (કોસ્ટલ બેલ્ટ). ૨૦૧૫માં થયેલ સિંહ ગણતરી અનુસાર ભાવનગર મુખ્ય વિસ્તારમાં ૩૭ સિંહની હાજરી જાેવા મળી હતી જ્યારે ૨૦૨૦ તે સંખ્યા ૫૬ થઈ ચૂકી છે. આ ૫૬ સિંહની સાથે કાંઠા વિસ્તારમાં બીજા ૧૭ સાવજ પણ વસવાટ કરી રહ્યા હોવાનું નોંધાયેલ. જયારે હાલમાં ભાવનગર જિલ્લાના બંને વિસ્તારમાં મળી કુલ ૮૦ થી વધુ સિંહ, સિંહણ, પાઠડા અને બચ્ચા તેમજ વણ ઓળખાયેલ સિંહો હોવાનું મનાય છે.

Tags: bhavnagarlion
Previous Post

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ: ભાજપના 9 અને શિંદે જૂથના 9 ધારાસભ્યો મળીને 18 કેબિનેટમાં

Next Post

કાળુભાર ડેમ ઓવરફ્લો, છ દરવાજા બે ફુટ ખોલાયા

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કાળુભાર ડેમ ઓવરફ્લો, છ દરવાજા બે ફુટ ખોલાયા

કાળુભાર ડેમ ઓવરફ્લો, છ દરવાજા બે ફુટ ખોલાયા

વલ્ભીપુરમા સવા ત્રણ, મહુવામાં ૩ ઇચ વરસાદ

ઉમરાળા, વલ્લભીપુર, ગારિયાધારમાં નાઇટ ઇનિંગ્સ ખેલતા મેઘરાજા : દોઢથી બે ઇંચ તોફાની વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.