ભાવનગરનાસાંસદ અને કેન્દ્ર સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના રાજયકક્ષાના મંત્રીનીમુબેન બાંભણિયાની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલ.અને નવી ચુંટાયેલ કારોબારીને શુભેચ્છા પાઠવી હતી અને સાથે સાથે ગત વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર ચેમ્બરના સહયોગથી કરવામાં આવેલ વિવિધ રજુઆતો અને તેના પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થયેલ સફળતાઓ અંગે ચર્ચા કરવામાં આવેલ. આ પ્રસંગે ચેમ્બર દ્વારા ભાવનગરના વિવિધ પ્રશ્નો અને મહત્વપૂર્ણ રજુઆતો જેવી કે રોડ, રેલ અને એર કનેક્ટિવિટી તથા ઔદ્યોગિક અને સામાજિક વિકાસને લગતા પ્રશ્નો તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા,સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રતિનિધિમંડળમાં પ્રમુખ તેજસભાઈ શેઠ, ઉપ પ્રમુખઅશોકભાઈ કોટડીયા, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયા, માનદ્ મંત્રી બૈજુભાઈ મેહતા અનેજીગ્નેશભાઈ સવાણી તથા માનદ્ ખજાનચી નીલેશભાઈ નાણાવટી ઉપસ્થિત રહ્યા હતા





