બાગેશ્વર સરકાર તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે.આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે ત્યારે વરસાદ વેરી બનતા અમદાવાદના ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. ધમાકેદાર વરસાદને કારણે લોકો અધવચ્ચે કાર્યક્રમથી બહાર દોડી આવ્યા હતા. ભારે ભવન સાથે વરસાદથી મંડપમાં પાણી ઘૂસી જતા અવ્યવસ્થાથી સર્જાઈ હતી. લોકોએ વરસાદથી બચવા ખુરશીઓ માથે ઓઢી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા.
જોકે તા.29 મેંના આયોજન અંગે આયોજકો દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી! જો વરસાદી વિધ્ન ન આવે તો 29 મેનો કાર્યક્રમ રાબેતા મુજબ યોજાઇ શકે છે.



