દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર પુરનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેનું કારણ યમુનાનું જળસ્તર છે. યમુનાનું જળસ્તર શુક્રવારે ફરી એક વાર ખતરાના નિશાન 205.34 મીટરને પાર કરી ગયું. શનિવાર સવાર 8 કલાક સુધી તે ઘટીને 205.18 મીટર થવાની આશા છે. આ અગાઉ શુક્રવાર સવારે જળસ્તર 205.34 મીટર હતું.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી યમુનાના જળસ્તરમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં યમુના ખતરાના નિશાન ઉપરથી વહી રહી હતી. ત્યાર બાદ મંગળવારની રાતે આઠ વાગ્યે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે આવી ગયું હતું. બુધવાર સવારે પાંચ કલાકે ઘટીને 205.22 મીટર રહી ગયું, જે બાદ જળસ્તરમાં ફરથી વધારો થવા લાગ્યો અને તે ખતરાનાથી નિશાનથી ઉપર વહેવા લાગી હતી.






