Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં ફરી એક વખત વાઘ દેખાયાનો દાવો

પાંડરવાડા ગામના લોકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી

aaspassdaily by aaspassdaily
2022-08-31 10:45:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વાઘ ફરતો હોવાનો ફરી એક વખત દાવો કરાયો છે. મહીસાગર જિલ્લાના પાંડરવાડા ગામના સ્થાનિકોનો દાવો છે કે, છેલ્લા 15 દિવસથી તેમના વિસ્તારમાં વાઘ ફરી રહ્યો છે. ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાં રહીશોનો દાવો છે કે, છેલ્લા 15 દિવસથી જંગલ વિસ્તારથી વાઘ આવે છે. લોકોએ એવા દાવો કર્યો છે કે વાઘ તેમના પશુઓનું મારણ કરે છે. આ ઉપરાંત ગામ લોકો ડરના માર્યાં રાત્રે ઊંઘી પણ નથી શકતા. આ જ કરાણ છે કે સ્થાનિકો પોતાના બાળકોને ઘર બહાર રમવા નથી દેતા. જોકે, આ મામલે વન વિભાગ તરફથી કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. જો આ વાત સાચી સાબિત થાય છે તો ગુજરાત વિશ્વનો એકમાત્ર એવો પ્રદેશ બનશે જ્યાં વાઘ, દીપડો અને સિંહ સાથે રહેતા હોય.
ગામ લોકોનું કહેવું છે કે, રાત પડતા જ જંગલમાંથી વાઘ આવી તેમના બકરા, નીલ ગાયનો શિકાર કરે છે. પાંડરવાડા ગામના લોકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે. સમાચારને પગલે વન વિભાગની ટીમ પણ વાઘ હોવાના પુરાવાની શોધમાં જોડાઈ છે. હાલમાં જ્યાં જ્યાં પશુઓના મારણ થયા છે ત્યાં પશુ પરના દાંતના નિશાન, તે વિસ્તારના જમીન પરના પંજાના નિશાન અને આસપાસના ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા છે.
એવુ નથી કે, મહીસાગરમાં વાઘ હોવાનો આ દાવો પહેલીવાર થયો છે. અગાઉ પણ લુણાવાડામાં વાઘ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. ગામ લોકોએ ફોટા પાડીને વાઘ હોવાનો દાવો કરી વન વિભાગને પણ સોંપ્યા હતા. જોકે, બાદમાં કંતાર ગામના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળ્યો હતો. એ સમયે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર બેદરકારીનો પણ આક્ષેપ કર્યો હતો. હવે ફરી મહીસાગર જિલ્લાના પાંડરવાડા ગામના રહીશોએ વાઘ હોવાનો દાવો કર્યો છે.

2019ના વર્ષમાં દેખાયો હતો વાઘ
છેલ્લા 2019ના વર્ષમાં મહીસાગરમાં વાઘ દેખાયો હતો. એ પહેલા 1985 માં ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો. 1985માં ગુજરાતના દક્ષિણ છેડે આવેલા ડાંગમાં વાઘ જોવા મળ્યો હતો. જે તે સમયે રોડ અકસ્માતમાં વાઘનું મોત થયું હતુ.

Tags: gujaratmahisagarpandarvadatiger
Previous Post

મુઘલોએ નાના રાજ્યોને હિન્દુસ્તાન બનાવ્યું… કોંગ્રેસ સાંસદ

Next Post

અત્યાર સુધીમાં 100થી વધુ રાજીનામા, ગુલામ નબીના 42 વધુ નેતાઓએ કોંગ્રેસ છોડી

aaspassdaily

aaspassdaily

Related News

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર
તાજા સમાચાર

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર

December 9, 2023
મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી
તાજા સમાચાર

મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી

December 9, 2023
ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો
તાજા સમાચાર

ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો

December 9, 2023
Next Post
અત્યાર સુધીમાં 100થી વધુ રાજીનામા, ગુલામ નબીના 42 વધુ નેતાઓએ કોંગ્રેસ છોડી

અત્યાર સુધીમાં 100થી વધુ રાજીનામા, ગુલામ નબીના 42 વધુ નેતાઓએ કોંગ્રેસ છોડી

સ્કૂલ સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર આચર્યું સામૂહિક દુષ્કર્મ

સ્કૂલ સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર આચર્યું સામૂહિક દુષ્કર્મ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.