સિહોર, મહુવા, તળાજા, અલંગ, ગારીયાધાર અને ભાવનગર ફાયર વિભાગની ટિમો જાેડાઈ : ૮ કલાકની જહેમત બાદ આગ કાબુમાં
ભાવનગર, તા.૩
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં મોડીરાત્રે અચાનક વિકરાળ આગ લાગી હતી પાલીતાણા ફાયર ઘટનાસ્થળે દોડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ વિકરાળ હોવાને કારણે શિહોર, મહુવા, તળાજા, અલંગ, ભાવનગર અને ગારીયાધાર ફાયર ફાઈટર પણ સાથે જાેડાઈ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો.
પાલીતાણાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં મોડી રાત્રિના ૧૨ઃ૩૦ કલાકે આસપાસ પાલીતાણા ફાયર વિભાગમાં કોલ આવતા કદમગીરી ગામ પાસે આવેલ કમળા મંદિર વાળા ડુંગર પર આગ લાગેલ પાલીતાણા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તાત્કાલિક કરીને શિહોર, મહુવા, તળાજા તથા ગારીયાધાર, અલંગ તથા ભાવનગર તમામ ફાયર સ્ટાફ પણ સાથે રાખી ભારે જહમત બાદ સવારે ૮ઃ૩૦ કલાકે આગને સંપૂર્ણપણે કાબુમાં આવી હતી, આમ, ૮થી ૯ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આ આગનું કારણ જાણવા મળેલ નથી, આ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.