છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે, તે જ રીતે અકસ્માતોમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા અને બાવલિયાળી નજીક શ્રમિકો ભરેલી તુફાન ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 20 લોકોને સામાન્ય ઈજા અને 5 લોકોને ગંભીર ઈજા પહોચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુફાનમાં 10 બાળકો સહિત 32 લોકો સવાર હતા. જેમાંથી 10 જેટલા લોકો તુફાન ગાડીની છત પર બેઠા હતા. હાલ તો ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.






