TET-2ના પરીક્ષા માટે સંખ્યાબંધ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. TET-2 પરીક્ષા માટે અમદાવાદ અને વડોદરાના પરિક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. જેને લઈ હવે TET-2ની પરીક્ષા આપતા ઉમેદવારોને નવા પરિક્ષા કેન્દ્રો ધ્યાને આપવા સૂચના અપાઈ છે.
આગામી 23 એપ્રિલના રોજ TET-2 પરીક્ષા યોજાનાર છે. જેને લઈ સંખ્યાબંધ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરાયો છે. જેમાં અમદાવાદના 5 તો વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. આ તરફ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર બાબતે સૂચના અપાઈ છે.
નોંધનીય છે કે, છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી. ત્યારે હવે આ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે.
23 એપ્રિલે યોજાનારી TET-2ની પરીક્ષામાં 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો હાજર રહેશે. વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા છે.